પોતાના દેશમાં ઘેરાયા PM ઓલી, અયોધ્યા પર નિવેદનથી રોષે ભરાયો નેપાળી સંત સમાજ

ભારતની સાથે વર્ષોથી જૂના રોટી-બેટીના સંબંધને તોડવાની દીશામાં કોઇને કોઇ હંગામો કરતા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી પદ ગુમાવવાના ડરથી રાજકીય છાવણીમાં રોકાયેલા છે. રાજકીય કોરિડોરમાં ઘેરાયેલા ઓલી સામે જાહેરમાં આક્રોશ પણ રસ્તાઓ પર દેખાવવા લાગ્યો છે. તે જ સમયે, હવે નેપાળના સંત સમાજે પણ ઓલી સામે મોરચો ખોલ્યો છે.
પોતાના દેશમાં ઘેરાયા PM ઓલી, અયોધ્યા પર નિવેદનથી રોષે ભરાયો નેપાળી સંત સમાજ

નવી દિલ્હી: ભારતની સાથે વર્ષોથી જૂના રોટી-બેટીના સંબંધને તોડવાની દીશામાં કોઇને કોઇ હંગામો કરતા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી પદ ગુમાવવાના ડરથી રાજકીય છાવણીમાં રોકાયેલા છે. રાજકીય કોરિડોરમાં ઘેરાયેલા ઓલી સામે જાહેરમાં આક્રોશ પણ રસ્તાઓ પર દેખાવવા લાગ્યો છે. તે જ સમયે, હવે નેપાળના સંત સમાજે પણ ઓલી સામે મોરચો ખોલ્યો છે.

ઓલી તરફથી થોડા દિવસ પહેલા ભગવાન રામ અને અયોધ્યાને લઇ આપેલા નિવેદનોથી રોષે ભરાયેલા સંતો 18 જુલાઇના રોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સંતોએ જનકપુરમાં પ્રધાનમંત્રીના નિવેદનનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનમાં સામેલ સંતો, ધાર્મિક સંગઠનો અને સામાન્ય નાગરિકોએ પીએમ ઓલીએ પોતાનું નિવેદન પાછું લેવાની માંગ કરી હતી.

વિરોધ કરી રહેલા સંતો અને નાગરિકોએ જનકપુર અને અયોધ્યાના જોડાણને જાળવવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ પીએમ ઓલીને હિન્દુઓની આસ્થાને નુકસાન ન પહોંચાડવાનો સંદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નેપાળીના આદિકવી ભાનુભક્તની જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમને સંબોધન કરતી વખતે ઓલીએ ભગવાન રામને નેપાળી નાગરિક ગણાવ્યા હતા.

તેમના નિવેદનના સમર્થનમાં ઓલીએ કહ્યું હતું કે અયોધ્યા, જેની વાત કરવામાં આવે છે તે પણ ભારતમાં નથી, તે નેપાળમાં પણ છે. તેમણે ભારત પર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અતિક્રમણનો પણ આરોપ લગાવ્યો હતો. અયોધ્યાના સાધુ-સંતોએ પણ ઓલીના નિવેદનની આકરી ટીકા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news