પ્રધાનમંત્રી ઇમરાન ખાને 31 જાન્યુઆરી સુધી પદ ન છોડ્યું તો ઇસ્લામાબાદ કુચ કરીશુંઃ બિલાવલ ભુટ્ટો

પીડીએમ 11 વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન છે. પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની પુણ્યતિથિ નિમિતે આયોજીત રેલીને સંબોધિત કરતા બિલાવલે ઇમરાન સરકારને જરૂરી વસ્તુઓના ભાવ વધારા માટે જવાબદાર ઠેરવી છે.
 

 પ્રધાનમંત્રી ઇમરાન ખાને 31 જાન્યુઆરી સુધી પદ ન છોડ્યું તો ઇસ્લામાબાદ કુચ કરીશુંઃ બિલાવલ ભુટ્ટો

લરકાનાઃ વિરોધી પક્ષોએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (PM imran khan) વિરુદ્ધ પોતાના અભિયાનને તેજ કરી દીધુ છે. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારીએ ચેતવણી આપતા કહ્યુ કે, જો 31 જાન્યુઆરી સુધી ઇમરાન ખાન પદ નહીં છોડે તો પીડીએમ ઇસ્લામાબાદ તરફ કુચ કરશે. તો મરિયમ નવાઝે કાશ્મીર અને સિયાચિનમાં મળેલી હારને લઈને પાકિસ્તાન સેનાની ટીકા કરી છે. તેમણે કહ્યું, ઇમરાન ખાનની પાર્ટીને પાકિસ્તાની સેના અને આઈએસઆઈના ઇશારા પર આ દળને ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ ધરણા અને ષડયંત્રમાં ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ યાદ રાખો વિચારધારાને ફાંસી કે દેશનિકાલન કરી શકાય. 

પાકિસ્તાનના વિવાદીત મંત્રી શેખ રશીદે વિપક્ષ ખાસ કરીને નવાઝ શરીફને પૂર્વ તાનાશાહ જનરલ જિયાઉલ હકના જૂતા પોલિશ કરનાર ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો કે, પાકિસ્તાની સેના પહેલા ક્યારેય દેશની રાજનીતિમાં સામેલ રહી છે અને ન ભવિષ્યમાં રહેશે. 

માતાની પુણ્યતિથિ પર પીએમ પર કર્યા પ્રહાર
મહત્વનું છે કે પીડીએમ 11 વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન છે. પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની પુણ્યતિથિ નિમિતે આયોજીત રેલીને સંબોધિત કરતા બિલાવલે ઇમરાન સરકારને જરૂરી વસ્તુઓના ભાવ વધારા માટે જવાબદાર ઠેરવી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન પ્રમાણે બિલાવલે કહ્યુ, 'કઠપુતળી પ્રધાનમંત્રીને લોકો સાથે જોડાયેલા મુદ્દાની કોઈ ચિંતા નથી. તેની પાછળનું કારણ છે કે તે મતો દ્વારા સત્તામાં આવ્યા નથી.'

તેમણે કહ્યું, 'બેનઝીર આજે તમામ દિલોમાં જીવિત છે. જે લોકો તેમની સાથે ટકરાયા, તે સમાપ્ત થઈ ગયા. જનરલ જિયા ઉલ હકની કબર પર કોઈ જતું નથી અને પરવેઝ મુશર્રફ વિદેશમાં અપમાનનું જીવન જીવવા માટે મજબૂર છે.' બિલાવલે કહ્યુ કે, એક વ્યક્તિને કેદ કરી શકાય છે, વિચારધારાને નહીં. મહત્વનું છે કે ચૂંટણીમાં ગોટાળા, ભ્રષ્ટાચાર અને પાકિસ્તાની સેનાના સર્ચસ્વના આરોપો વચ્ચે પીડીએમ ઇમરાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે. 

એક જાન્યુઆરીએ પીડીએમ નેતાઓની બેઠક
પીડીએમના પ્રમુખ મૌલાના ફજર્લુ રહમાને સોમવારે કહ્યુ કે, ગઠબંધન નેતાઓની આગામી બેઠક એક જાન્યુઆરીએ લાહોરમાં યોજાશે. જીયો ન્યૂઝે વિપક્ષી પાર્ટીઓનો જમાવડો પીએમએલ-એનના ઉપાધ્યક્ષ મરયમ નવાઝના ઘરે લાગવાના સંકેત આપ્યા છે. આ દરમિયાન ઇમરાન સરકાર વિરુદ્ધ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news