IIM Rohtak-Tajik University Conference: રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ કટ્ટરતાને લઇને ચેતવ્યા

દુશાન્બેમાં શુક્રવારથી બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલન શરૂ થયું છે. 'ભાગીદારીની રૂપરેખા: મધ્ય અને દક્ષિણ એશિયાઇ રાષ્ટ્રોના કેન્દ્રમાં અફઘનિસ્તાન' વિષય પર IIM રોહતક અને તાજિક નેશનલ યુનિવર્સિટી દ્વારા આયોજિત કરવામાં આવેલી આ કોન્ફરન્સમાં પહેલાં દિવસે રાજ્યસભાના સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ હાજરી આપી હતી.

IIM Rohtak-Tajik University Conference: રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ કટ્ટરતાને લઇને ચેતવ્યા

નવી દિલ્હી: દુશાન્બેમાં શુક્રવારથી બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલન શરૂ થયું છે. 'ભાગીદારીની રૂપરેખા: મધ્ય અને દક્ષિણ એશિયાઇ રાષ્ટ્રોના કેન્દ્રમાં અફઘનિસ્તાન' વિષય પર IIM રોહતક અને તાજિક નેશનલ યુનિવર્સિટી દ્વારા આયોજિત કરવામાં આવેલી આ કોન્ફરન્સમાં પહેલાં દિવસે રાજ્યસભાના સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ હાજરી આપી હતી.

ડો.સુભાષ ચંદ્રાએ શેર કર્યા વિચારો
ડો. સુભાષ ચંદ્રાએ 'નોન સ્ટાડર્ડ મેથડ્સ દ્વારા મધ્ય અને દક્ષિણ એશિયામાં ડિ-રેડિકલાઇઝેશન અને શાંતિ' પર બોલતાં યુવાનોમાં કટ્ટરપંથી પર પોતાના વિચારો શેર કર્યા. તેમણે જણાવ્યું કે કેવી રીતે કટ્ટરતા શરૂ થાય છે અને કેવી રીતે યુવા મનમાં ફિલોસોફિકલ અને સાયકોલોજિકલ કન્ડીશનીંગ હોય છે.

આ ઉપરાંત એસ્સેલ ગ્રૂપના ચેરમેને એ પણ વાત કરી કે કેવી રીતે કટ્ટરપંથ યુવાઓને હથિયાર ઉઠાવવા અને હિંસામાં સામેલ થવા માટે બદલાની દિશામાં પ્રથમ પગલું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે તાજિકિસ્તાનના માનનીય રાષ્ટ્રપતિની વાત સાંભળીને તેમને ભારતના પીએમ નરેન્દ્ર મોદી યાદ આવ્યા.

સાંસદ અને પૂર્વ વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબરે પણ પ્રથમ દિવસે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આવો તમને જણાવીએ તેમના દ્વારા કહેવામાં આવી મુખ્ય વાતો...

1. મેં પછાત વર્ગની અફઘાન મહિલાઓને મુખ્ય પ્રવાહમાં આવતી જોઈ છે.

2. યુએસ અને નાટો ફોર્સે અફઘાનિસ્તાન છોડી દીધું અને હવે યુક્રેન અને કાબુલ વચ્ચે અંતર કરવાની જરૂર છે. રહેમાનને તાજિકિસ્તાનમાં સ્વતંત્રતાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે દેશની સુરક્ષાના રક્ષક પણ રહ્યા છે.

3. આપણે 9/11 વિશે વિચારીએ છીએ, તે ટાવર પરના હુમલાથી શરૂ થાય છે પરંતુ તે ત્યારે શરૂ થયું જ્યારે તાલિબાની સશસ્ત્ર દળોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ બીજા વિશ્વયુદ્ધનું કારણ હતું. બીજું વિશ્વ યુદ્ધ શીત યુદ્ધ તરીકે ઉભરી આવ્યું અને શીત યુદ્ધે આતંકવાદને જન્મ આપ્યો. પ્રથમ વિશ્વયુદ્ધની સમસ્યા એ જ સમયે ઉકેલવી જોઈએ. ભૂતકાળની વણઉકેલાયેલી સમસ્યાઓને લીધે આપણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ.

4. સ્વતંત્રતા વિલાસતા નથી એક એક જવાબદારી છે. અમેરિકી સેના અફઘાનિસ્તાનમાંથી છોડ્યા બાદ દુનિયામાં એક સંદેશ ગયો કે અમેરિકા કોઈની સાથે ઉભા રહેવા તૈયાર નથી અને પછી યુક્રેનનો મામલો શરૂ થયો. નાટો અને અમેરિકા પણ તેમના માટે ઊભા રહેશે નહી. હવે તે સ્પષ્ટ છે.

5. યુક્રેન અને અફઘાનિસ્તાન માટે પણ સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે. 1985માં જ્યારે હું પહેલીવાર અહીં આવ્યો હતો ત્યારે દુશાન્બે એક ગામડું હતું પરંતુ હવે તે વિકસિત દેશનું વિકસિત શહેર છે. આ સ્વતંત્રતાની અસર છે. ભવિષ્યમાં જાપાન અને જર્મની નેતૃત્વ કરશે. WW2 માં જર્મનીનું લશ્કરીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ આજે જર્મની અને જાપાન બંને ઉદાર લોકશાહી છે. જર્મની એકમાત્ર એવો દેશ છે જ્યાં યુક્રેનના મુદ્દા દરમિયાન શેરના ભાવમાં વધારો થયો છે.

6. નવી વિશ્વ વ્યવસ્થા તમામ રાષ્ટ્રો માટે સમાનતાની માંગ કરવાની છે. ભારત અને તાજિકિસ્તાન દુનિયાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા માટે સહયોગ કરી શકે છે.

7. ભારતમાં આજે  શક્તિનું સંતુલન છે. આપણને દરેક ક્ષેત્રમાં સંતુલન જોઈએ છે, માત્ર શક્તિનું સંતુલન જ નહીં.

8. અફઘાનિસ્તાનમાં ભલે આજે આપણે આશાનું કિરણ જોઈ શકતા નથી, પણ કહાની હજી પૂરી થઈ નથી. તમે ફરીથી અફઘાનિસ્તાનનું ઉજ્જવળ ભવિષ્ય જોશો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news