અમદાવાદ: 1987ની બેચના વિદ્યાર્થીઓનો પુન: મિલન કાર્યકર્મ યોજાયો

પાલડીની દામુભાઈ શુકલ સ્કુલના 1987ના બેચના 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું આજે રીયુનીયન પુન: મિલનનું કાર્યકર્મ યોજવામાં આવ્યું હતું. જેમાં હાલ 40થી 50 વર્ષની ઉમર ધરાવતા વિદ્યાર્થીઓ અને તે વખતના ટીચરો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગમાં લગભગ 36 જેટલા તે વખતના વિદ્યાર્થીઓ ભેગા માંડીને જૂની યાદો તાજી કરી હતી. આ કાર્યક્રમનો મૂળ હેતુ એ હતો કે 1980થી આ 1990 સુધી જે બાળકો હતા હાલ કોઈ બીઝનસમેન તો કોઈ NRI બની ગયા છે. જેથી કેટલાક લોકો બીઝી સીડ્યુલ વચ્ચે સમય નીકળી પોતાની નાનપણની વાતો તાજી થાય અને દર વર્ષે આ રીતે કાર્યક્રમ યોજવામાં આવે તે હતો.

Trending news