રાજકોટમાં નહીં સર્જાઇ જળસંકટ, જાણો કેમ

સરકાર દ્વારા આજી અને ન્યારી બન્ને ડેમમાં નર્મદાનીર ઠાલવવામાં આવશે.આજી ડેમમાં અંદાજીત 400 mcft જ્યારે ન્યારી ડેમમાં અંદાજીત 100 mcft નીર ઠાલવવામાં આવશે.ચોમાસા સુધી ચાલે તેટલું પાણી બંને ડેમોમાં ઠાલવવામાં આવશે.ભાદર ડેમમાંથી પાણી લેવાનું રાજકોટ મહાનગરપાલિકાએ બંધ કર્યું.ભાદર ડેમની સપાટી ઓછી થતા ગોંડલ જેતપુર ના લોકોને પાણી સમસ્યા ન સર્જાઇ માટે રાજકોટ મહાનગરપાલિકાએ ભાદર ડેમમાંથી પાણી લેવાનું બંધ કર્યું છે.

Trending news