નડાબેટના ઝીરો પોઈન્ટ બોર્ડર પર પ્રતિબંધ, હવે નહિ જઈ શકે પ્રવાસીઓ

સુઇગામના ભારત-પાકિસ્તાનની સરહદે આવેલા નડાબેટના ઝીરો પોઈન્ટ બોર્ડર પર હવે સીમા દર્શન માટે આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ BSF દ્વારા લગાવવામાં આવ્યો છે. હકીકતમાં કોરોના વાયરસને લઈ BSFના જવાનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે સીમા દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે પણ હવે એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

Trending news