વારાણસીની હોળીમાં ગવાયા કોરોના વાયરસ પર ગીતો

દેશભરમાં ધામધૂમ અને હર્ષોલ્લાસથી ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રયાગરાજમાં કવિઓએ હોલિયારી ગીતો એટલે કે હોળીના ખાસ ગીતોથી રંગ જમાવ્યા. કોરોનાના ખતરા વચ્ચે જ્યારે ધુળેટી રમવામાં આવી રહી છે ત્યારે હોળીના ગીતોમાં પણ કોરોનાની અસર જોવા મળી. ધુળેટી પર કોરોના વાયરસ પરના ગીત, ફગવા ગીત અને રાજનૈતિક ગીતો સાંભળવા મળી રહ્યા છે. જાણીતા ગાયકોએ પ્રધાનમંત્રી મોદી, મમતા બેનર્જી અને મુલાયમ સિંહ યાદવ જેવા નેતાઓ પર ગીતો બનાવ્યા છે. લોકો કોરોના વાયરસ પરના ગીતને સૌથી વધુ પસંદ કરી રહ્યા છે.

Trending news