બિનસચિવાલય પરીક્ષા વિરોધ: વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા શંકરસિંહ વાઘેલા

ઉમેદવારોને મળવા આવેલા શંકરસિંહ વાઘેલાએ તેઓને કહ્યું કે, તમારી વાતને સરકારે સાંભળવી જોઈએ. હું તમારી સાથે છું. તમારી રજુઆત હોય તો કહો. હું રાજ્યપાલ અને મુખ્યમંત્રીને તમારી વાત કરીશ કે પરીક્ષા કેન્સલ કરવામાં આવે. ઉમેદવારોના આગેવાનોને સાંભળવા જોઈએ. તમે કોના રાજમાં જીવી રહ્યા છો એ સમજો. આખર સુધી લડવાની તાકાત હોય તો જ આ સરકાર સામે પડજો. હું આંદોલનકારીઓની સાથે છું અને તેમની લડતમાં ભાગીદાર છું.

Trending news