જામનગરમાં વધુ એક શંકાસ્પદ કોંગો ફીવરનો કેસ નોંધાયો

જામનગર સહિત હાલાર પંથકમાં ચોમાસા દરમિયાન ચાલુ સિઝનમાં રોગચાળાએ માજા મુકી છે અને રોગચાળાએ જાણે અજગરી ભરડો લીધો હોય...તેમ આ વર્ષે સ્વાઈન ફ્લુ અને કોંગો ફીવરના કેસ તો નોંધાઈ રહ્યા છે...પરંતુ સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે જે બીમારીનો ઇલાજ સરળ છે તેવા ડેન્ગ્યુથી પણ મોતની સંખ્યા વધી રહી છે...તાજેતરમાં જ ડેન્ગ્યુની બીમારીથી એકી સાથે બે ના મોત નીપજ્યા અને હાલાર પંથકમાં ડેન્ગ્યુથી મોતનો સિઝનનો કુલ આંક પાંચ પર પહોંચ્યો છે

Trending news