અમદાવાદ: રસ્તાઓની બિસ્માર હાલતથી રાહદારીઓ પરેશાન, જુઓ 'શું ખબર શહેરની?'

અમદાવાદમાં વરસાદ બંધ થયાને લગભગ 10 દિવસ જેટલો સમય થઈ ચુક્યો છે, ત્યારે વરસાદના કારણે શાંતિપુરા ચારરસ્તા પાસે લગભગ 1 કિલોમીટરનો માર્ગ તૂટી ચુક્યો છે. બોપલ અને તરફ સરખેજ તરફ જતો આ માર્ગ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ આશરે એક મહિના પહેલા તુટ્યો હતો જેને હજુ સુધી રીપેર પણ કરાયો નથી. રાહદારીઓ પરેશાન છે, ત્યારે વાહનોને કારણે સતત રોડ પર બંને તરફ ધૂળની ડમરીઓ ઉડી રહી છે.

Trending news