દાહોદ: ધાનપુર તાલુકાના પીપેરો ગામે અકસ્માત, 3ના મોત

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો જીપ ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મુસાફરો લઈને અવરજવર કરતી ખાનગી જીપે પલ્ટી મારી હતી. જીપ પલ્ટી ખાતા 15 મુસાફરો થયા ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 3 લોકોના મોત થયા હતા.

Trending news