કમલેશ તિવારી હત્યાકાંડમાં મોટો ખુલાસો, છરીના 15 ઘા મારી કરી હત્યા

કમલેશ તિવારીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ છરીના 15 ઘા મારી કમલેશ તિવારીની હત્યા કરી હતી. ચહેરા પર એક ગોળી મારી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. કમલેશ તિવારી હત્યા કેસમાં હત્યાના આરોપી અશ્ફાફ અને મોઈનુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. બંને મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે બંને આરોપીઓને રજૂ કરાશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીઓને યુપી લઈ જવાશે.

Trending news