ભારત બંધ News

રાજકોટમાં બંધની કોઈ અસર નહિ, લોકોએ કહ્યું-બંધ એ કોઈ વિકલ્પ નથી
આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, પણ તેની કોઈ અસર રાજકોટમાં ન જોવા મળી. આજે રાજકોટમાં સવારથી જ બધુ ખુલ્લુ જોવા મળ્યું. બસ સેવા, રીક્ષા, બજારો બધુ જ સવારથી ચાલુ છે. અનેક માર્કેટ સવારથી ખુલ્લી છે. રાજકોટમાં ભારત બંધ (bharat bandh) ની અસર નહિવત જોવા મળી. બે માર્કેટ યાર્ડને બાદ કરતાં તમામ બજારો ખુલ્લા છે. રાજકોટ (rajkot) માં જનજીવન સામાન્ય બની રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ત્યારે બંધ વિશે પ્રતિસાદ આપતા શહેરીજનોએ જણાવ્યું કે, આંદોલનકારીઓએ સરકાર સાથે વાટાઘાટ કરી નિરાકરણ લાવવું જોઈએ. બંધ એ કોઇ વિકલ્પ નથી. લોકડાઉન અને અનલોક બાદ વેપારીઓની પરિસ્થિતિ ધીમેધીમે આગળ વધી રહી છે. હાલના સમયમાં બંધ પાળવું વેપારીઓ માટે મુશ્કેલ છે. 
Dec 8,2020, 13:11 PM IST
Bharat Bandh : શાંત ગુજરાતમાં કોંગ્રેસનો કાંકરીચાળો, અનેક કાર્યકર્તાઓની અટકાયત
ભારત બંધ (Bharat Bandh) ની અસર ગુજરાતમાં નહિવત જોવા મળી છે. લગભગ મોટાભાગના માર્કેટ યાર્ડે પોતાનું કામકાજ ચાલુ રાખ્યું છે. રોજની જેમ ખેડૂતો એપીએમસીમાં ખેતપેદાશો ખરીદવા અને વેચવા આવી રહ્યાં છે. તો કેટલાક ખેડૂત સંગઠનો શાંતિપૂર્ણ રીતે બંધને આહવાન આપી રહ્યાં છે. પરંતુ ગુજરાત કોંગ્રેસ (gujarat congress) દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં ઠેરઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ પ્રદર્શનો દ્વારા ભારત બંધને સમર્થન આપી રહ્યાં છે. આમ, શાંત ગુજરાતમાં કોંગ્રેસ કાંકરીચાળો કરવાનું પ્રયાસ કરી રહ્યાં છે. જેને પગલે પોલીસ એક્શનમાં આવી છે, અને વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે. તો અનેક લોકોને નજરકેદ કરાયા છે, જેથી ગુજરાતની શાંતિ વધુ ડહોળાઈ નહિ. 
Dec 8,2020, 12:35 PM IST
ભારત બંધમાં ગુજરાત રાબેતા મુજબ ચાલુ, મોટાભાગના માર્કેટયાર્ડ ચાલુ રહેશે
Dec 8,2020, 7:59 AM IST

Trending news