Maharashtra Bandh: મુંબઈ જવાના હો તો સાચવજો, આ તારીખે છે મહારાષ્ટ્ર બંધનું એલાન!

Girls Physical Assault Case: આ પહેલાં મહાવિકાસ આઘાડીની બેઠકમાં મહિલાઓ સામેની હિંસાની ઘટનાઓ અને મહાયુતિ સરકારના શાસન પર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જયંત પાટીલે કહ્યું કે મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષો 24મી ઓક્ટોબરે બોલાવવામાં આવેલા બંધમાં ભાગ લેશે.

Maharashtra Bandh: મુંબઈ જવાના હો તો સાચવજો, આ તારીખે છે મહારાષ્ટ્ર બંધનું એલાન!

Badlapur Girls Physical Assault Case: બુધવારે મહાવિકાસ આઘાડીના અગ્રણી નેતાઓની હાજરીમાં એક બેઠક યોજાઈ. જેમાં રાજ્યમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દે લાંબી ચર્ચા થઈ હતી. શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારના નેતૃત્વવાળી NCPના ઠાકરે જૂથે 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું આહ્વાન કર્યું છે. નેતાઓએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં મહિલાઓની અસુરક્ષાના વધતા જતા મુદ્દા અને બદલાપુર કેસ પર સરકારનું વલણ સંવેદનશીલ નથી. જેને પગલે 24મીએ મહારાષ્ટ્રમાં બબાલ થવાની સંભાવનાઓ છે. 

  • બુધવારે મહાવિકાસ આઘાડીના નેતાઓની હાજરીમાં બેઠક યોજાઈ-
  • ઠાકરે જૂથ, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીએ 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું 
  • છેલ્લા 10 વર્ષમાં મહિલાઓની અસુરક્ષાના વધતા મુદ્દા પર સરકારનું વલણ સંવેદનશીલ નથી

બદલાપુર ઘટનાના વિરોધમાં મહાવિકાસ આઘાડી (MVA) એ 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે. MVA નેતાઓએ કહ્યું છે કે એકનાથ શિંદે સરકાર બદલાપુર ઘટનામાં કાર્યવાહીમાં વિલંબ કરી રહી છે અને આ મામલે સરકારની પ્રતિક્રિયા દુર્ભાગ્યપૂર્ણ છે. મહાવિકાસ આઘાડીના નેતાઓએ સ્પષ્ટ કહ્યું કે, વિરોધ પક્ષ આ મામલે કોઈ રાજનીતિ કરી રહ્યો નથી. બુધવારે મહાવિકાસ આઘાડીના અગ્રણી નેતાઓની હાજરીમાં બેઠકનું સમાપન થયું હતું. મહારાષ્ટ્રમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી છે. કોલકાતા રેપના કેસમાં મમતા સરકાર ભરાઈ ગઈ છે. હવે મહારાષ્ટ્રમાં શિંદે સરકારની મુશ્કેલીઓ વધી શકે છે, શિંદેએ આરોપ મૂક્યો છે કે જાણી જોઈને મહારાષ્ટ્રને બદનામ કરાઈ રહ્યું છે. 

સરકારનો પગલાં લેવામાં વિલંબ-
એક પ્રારંભિક અહેવાલ બહાર આવ્યો છે કે શાળા અને અન્ય વહીવટીતંત્ર બદલાપુર ઘટનામાં વિલંબ કરી રહ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં વિલંબ થયો હતો. બદલાપુર આંદોલન પર શાસક પક્ષની પ્રતિક્રિયા પણ દુર્ભાગ્યપૂર્ણ છે. નાના પટોલે અને જયંત પાટીલે દાવો કર્યો હતો કે સરકારે આ મુદ્દાને સંવેદનશીલ રીતે હેન્ડલ કરવો જોઈએ.

શિંદે સરકારની ભૂમિકા પર અસંતોષ-
આ પહેલાં મહાવિકાસ આઘાડીની બેઠકમાં મહિલાઓ સામેની હિંસાની ઘટનાઓ અને મહાયુતિ સરકારના શાસન પર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જયંત પાટીલે કહ્યું કે મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષો 24મી ઓક્ટોબરે બોલાવવામાં આવેલા બંધમાં ભાગ લેશે.

કયા પક્ષો સામેલ થશે-
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે MVA ના ઘટક પક્ષો - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના - ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (શિવસેના - UBT) અને શરદ પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી - શરદચંદ્ર પવાર (NCP - SP)એ આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે MVAના તમામ સહયોગી 24 ઓગસ્ટના બંધમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે અમે રાજ્યમાં મહિલા સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરી અને તમામ મોરચે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની આગેવાની હેઠળની 'મહાયુતિ' સરકારની નિષ્ફળતા અંગે ચર્ચા કરી છે.

શિંદે સરકાર પર નિશાન સાધ્યું-
 કોંગ્રેસ મુંબઈ એકમના પ્રમુખ વર્ષા ગાયકવાડે બદલાપુર ઘટનાને લઈને રાજ્ય સચિવાલય 'મંત્રાલય' બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન વડેટ્ટીવાર અને કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ પણ હાજર હતા. 'મંત્રાલય' ના ગેટની બહાર પ્લેકાર્ડ પકડીને, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ FIR નોંધવામાં વિલંબ માટે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે પ્રદર્શનકારીઓને કેમ્પસમાં પ્રવેશતા અટકાવ્યા હતા. ગાયકવાડ અને વડેટ્ટીવારે રાજ્યમાં મહિલાઓ સામે વધી રહેલા ગુનાઓ માટે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

શું છે મામલો?
7 ઓગસ્ટે બદલાપુરની એક શાળામાં બે છોકરીઓનું યૌન શોષણ કરવા બદલ એક શાળા સહાયકની ધરપકડ કરી હતી. ફરિયાદ મુજબ, આરોપીએ શાળાના શૌચાલયમાં છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો છે કે સત્તાવાળાઓ તેમની ફરિયાદો પર વિચાર કરે તે પહેલા છોકરીઓના માતાપિતાએ બદલાપુર પોલીસ સ્ટેશનમાં 11 કલાક રાહ જોવી પડી હતી. ઘટનાના વિરોધમાં હજારો પ્રદર્શનકારીઓએ મંગળવારે બદલાપુર સ્ટેશન પર રેલ્વે ટ્રેક બ્લોક કરી દીધા હતા અને તેઓએ શાળાની ઇમારતમાં તોડફોડ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news