ભાજપ સરકાર News

પાણી નહીં પદાધિકારીઓના પાપ! શહેરની ઘોર ખોદાઈ : સજા ભોગવી રહ્યાં છે 70 લાખ અમદાવાદીઓ
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદ : માત્ર બે-ચાર ઈંચ વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારનું નાક કપાવ્યું....સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયા ભાજપ સરકારના વિકાસના તમામ દાવા...AMC ના મોટાભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ કટકી કરવામાંથી ઉંચા નથી આવતા, તો કામ ક્યાંથી થાય? સામાન્ય વરસાદમાં ખુલ્લી પડી ગઈ AMC ની પોલ, ઠેર-ઠેર ફરાયા પાણી...અમદાવાદના મોટા ભાગના રોડ-રસ્તા થયા ઠપ્પ...તંત્રના પાપે લોકોને હાલાકી...અમદાવાદની હાલત એવી છેકે, હવે તો સાહેબ પણ જોઈને કહેશે કે જેમને શાસન સોંપ્યુ એમણે મારા શહેરની શું દશા કરી? જુઓ અમદાવાદ શહેરની અવદશા...વિકાસની વરવી વાસ્તવિકતા...અને શાસકોના 'વહીવટ'ની બોલતી તસવીરો... જોઈને લાજ આવે તો....ઢાંકણીમાં પાણી લઈને ડુબી મરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કટકીબાજ શાસકો...
Aug 27,2024, 14:10 PM IST
Godhrakand Report: નાણાવટી પંચના રિપોર્ટ બાદ કોંગ્રેસના સરકાર પર પ્રહાર
વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ પાર્ટ-2નો રિપોર્ટ રજૂ કરાયો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગ (CAG)નો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે, ત્યારે આ રિપોર્ટમાં તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સદસ્યોને ક્લીનચીટ આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ અધિકારીઓ આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા નકારાત્મક હોવાની અને તેમની સામે ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે.
Dec 11,2019, 16:10 PM IST

Trending news