આઈપીએલ હરાજી 2019 News

IPL Auction 2019: જાણો કઈ ટીમ પાસે વધ્યા છે કેટલા પૈસા, કોણ ખરીદી શકે છે
આવતીકાલે (18 ડિસેમ્બર) આઈપીએલની 12મી સીઝન માટે ખેલાડીઓની હરાજી થવાની છે. મંગળવારે જયપુરમાં ખેલાડીઓની બોલી લાગશે. મંગળવારે આ હરાજી જયપુરમાં થવાની છે. આ દરમિયાન કુલ 346 ખેલાડીઓના ભાગ્યનો નિર્ણય થશે, જેમાં 226 ખેલાડીઓ ભારતીય છે. 9 ખેલાડીઓએ તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા રાખી છે. તેમાં ઈંગ્લેન્ડનો સેમ કરન અને ક્રિસ વોક્સ, શ્રીલંકાનો લસિથ મલિંગા અને એન્જેલો મેથ્યુઝ, ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ અને કોરી એન્ડરસન, ઓસ્ટ્રેલિયાના ડાર્સી શોર્ટ અને શોન માર્થ તથા દક્ષિણ આફ્રિકાના કોલિન ઇંન્ગ્રામ જેવા ખેલાડીઓ સામેલ છે. આઈપીએલમાં પોતાની ટીમને મજબૂત બનાવવા માટે ફ્રેન્ચાઇઝી મંથન કરવા લાગી હશે. તમામ ટીમ મોટા ખેલાડીઓને તેની સાથે જોડવા માટે જોર લગાવશે. અમે તમને જણાવી રહ્યાં છીએ કે, તમામ ટીમો પાસે કેટલા રૂપિયા બાકી છે અને કઈ ટીમની પાસે કેટલા ખેલાડીઓને ખરીદવાની લિમિટ છે.   
Dec 17,2018, 14:43 PM IST

Trending news