Visitors News

ડાકોરમાં દર્શનાર્થીઓનાં ટોળા જોઇ આખરે ઓનલાઇન રજીસ્ટ્રેશનનો નિયમ રદ્દ કરાયો
યાત્રાધામ ડાકોરમાં શરદપૂનમના દિવસે કોરોના મહામારી વચ્ચે ભગવાન રણછોડના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત નિયમના કારણે દર્શનાર્થીઓને નિયંત્રિત કરવા માટે પોલીસ અને મંદિર મેનેજમેન્ટ માટે અઘરૂ કામ હતું. બીજી તરફ સરકારી તંત્રની કોવિડ 19 ગાઇડલાઇનના નિયમનું પાલન કડકાઇથી કરવામાં આવ્યું હતું. જો કે જેના કારણે દર્શનાર્થીઓ અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણની સ્થિતી પેદા થઇ હતી. તો બીજી તરફ મોકો જોઇને સ્થાનિકો દ્વારા ઓનલાઇન દર્શનના રજીસ્ટ્રેશન માટે દુકાનો ખોલીને બેસી ગયા હતા. રજીસ્ટ્રેશન માટે 10 રૂપિયા વસુલવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું. 
Oct 31,2020, 23:32 PM IST

Trending news