Umiya mataji News

ઊંઝામાં લક્ષચંડી હવનનો ચોથો દિવસ, મા ઉમિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર
Dec 21,2019, 16:50 PM IST
ઊંઝામાં લક્ષચંડી હવનનો ચોથો દિવસ, બિહારના સીએમ સહિતના નેતા આપશે હજારી
Dec 21,2019, 13:12 PM IST
ઉમિયાધામમાં અવસર: ઊંઝામાં લાખો પાટીદારો કરશે કુળદેવીના દર્શન
Unjha Lakshachandi Mahayagya: આજથી મહેસાણાના ઉંઝામાં મા ઉમિયાના જય ઘોશથી લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. વિશ્વભરથી 1 કરોડ જેટલા પાટીદાર સમાજના ભાવિ ભક્તો મહાયજ્ઞમાં હાજરી આપશે. મહેસાણા ઊંઝામાં આજે લક્ષચંડીની સમી સાંજે આજે પાટીદારોએ પોતાનો પાવર બતાવી દીધો હતો. એક-બે નહિ, પણ આજે 3 રેકોર્ડ મેળવી લીધા છે. આજથી ઉમાનગરી ઊંઝામાં પાટીદારો ઉમટી ગયા હોય તેવી સ્થિતિ સાથે આજે વાતવરણ ભક્તિમય બનવા ગયું હતું. લક્ષચંડી મહાયજ્ઞના એક દિવસ પહેલા જ 3 રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયા છે. એક સાથે 20 હજાર ફુગ્ગામાં બીજ મુકીને ઉડાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મોટી સંખ્યામાં મા ઉમિયાના નામનો જય ઘોશ લગાવવાનો રેકોર્ડ અને લાખનો સંખ્યામાં લાડુ બનાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
Dec 18,2019, 18:12 PM IST
પાટીદારોનાં કુળદેવી મા ઉમિયાના ધામમાં આવતીકાલથી રૂડો અવસર
Unjha Lakshachandi Mahayagya Mahostav: પાટીદારોનાં કુળદેવી મા ઉમિયા (Umiya Maa) ના ધામ ઊંઝામાં આવતી કાલથી રૂડો અવસર શરૂ થવાનો છે. તેના માટે માનું તેડું આવતાં સેંકડો ભક્તો ઊંઝા પહોંચ્યા છે. પાટીદારો (Patidar Samaj) ના લક્ષચંડી મહાયજ્ઞને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ યજ્ઞના 5 દિવસ દરમિયાન 4 લાખથી વધુ NRI પાટીદારો ઊંઝા પહોંચશે. ઊંઝામાં 18 થી 22 ડિસેમ્બર દરમિયાન આ મહાયજ્ઞ (lakshya chandi yagya) યોજાશે. જેનો મુખ્ય હેતુ પાટીદારોને એક કરવાની સાથે સામાજિક સમરસતાનો પણ છે. પાટીદારોમાં હજુ પણ કેટલોક વર્ગ ખેતી સાથે સંકળાયેલો છે અને ગરીબ પણ છે, જેને આગળ લાવવા માટે સોલા ઉમિયા કેમ્પસ ખાતે નવી સુવિધાઓ ઉભી કરાશે. આ યજ્ઞના માધ્યમથી પાટીદારોને સશક્ત બનાવવા અને તમામને સાથે લઇને ચાલવાનો મુખ્ય ઉદ્દેશ છે. પાટીદારોના આ યજ્ઞથી સમાજના તમામ લોકોને જોડીને માનું તેડું મોકલવામાં આવ્યું છે. 
Dec 17,2019, 16:16 PM IST

Trending news