Two seasons News

સાબરકાંઠાના ખેડૂતોને શિયાળુ સિઝન પહેલા મોટી ભેટ, બે સિઝનનું તમામ નુકસાન થશે ભરપાઇ
સાબરકાંઠાની હાથમતી-ઇન્દ્રાસી જળાશયમાંથી ખેડૂતોને રવી સીઝન માટે પ્રથમ પાણી નવા વર્ષના દિવસે શરુ કરવામાં આવશે. જે ૧૫ દિવસ ચાલશે જેને લઈને ચાર તાલુકાના ૫૮ ગામોના કમાંડ વિસ્તારમાં ખેડૂતોને વાવેતરમાં લાભ થશે. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સાબરકાંઠા જીલ્લામાં અને ઉપરવાસમાં સારા વરસાદને લઈને સતત બીજા વર્ષે હાથમતી-ઇન્દ્રાસી જળાશય ઓવરફલો થયા હતા જેને સાબરકાંઠાના બે અને ગાંધીનગર જીલ્લાના બે મળી ચાર તાલુકાના કેનાલના કમાંડ વિસ્તારમાં ખેડૂતોને રવિ સિઝનના વાવેતરમાં પાણી ઉપયોગી થશે જથી આ વર્ષે રવિ સીઝનમાં વાવેતર કરવામાં આવતા ઘઉં,ચણા અને રાયડાને ફાયદો થશે.
Nov 3,2020, 23:05 PM IST

Trending news