Pm modi speech in bhopal News

ગુજરાત બાદ ભોપાલમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન એકદમ એરપોર્ટ જેવું દેખાય છે, જુઓ Photo
ગુજરાતના ગાંધીનગરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવ્યા બાદ હવે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રાની કમલાપતિ રેલવે સ્ટેશન એકદમ એરપોર્ટ જેવુ દેખાય છે.  મધ્ય પ્રદેશના ભોપાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાની કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે. આ તકે તેમણે એક ટ્રેનને લીલી ઝંડી દેખાડીને રવાના કરી છે. પીએમ મોદીએ ઉદ્ઘાટન બાદ કહ્યુ કે, નામ બદલવાથી સ્ટેશનનું મહત્વ વધી જાય છે. મહત્વનું છે કે આ સ્ટેશનનું નામ પહેલા હબીબગંઝ રેલવે સ્ટેશન હતું, જેને બદલીને હવે રાની કમલાપતિ કરી દેવામાં આવ્યું છે. સ્ટેશનને વર્લ્ડ ક્લાક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેશનમાં લોકોને એરપોર્ટ જેવી સુવિધા મળશે. 
Nov 15,2021, 17:42 PM IST

Trending news