Now i will do the work of the people News

મને પાડવા વાળા અનેક લોકો ખોવાઇ ગયા, ચૂંટણી આવે ત્યારે થાય તે કરી લેજો: વસાવા
સાંસદ મનસુખ વસાવા પોતાનાં સ્પષ્ટ વક્તા સુખી ભવેતનાં નિયમો અનુસાર વારંવાર ચર્ચામાં આવતા રહે છે. મામલતદારની ઝાટકણી કાઢ્યા બાદ હવે ફોરેસ્ટ ગાર્ડની ઝાટકણી કાઢીને સાંસદ મનસુખ વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હું માત્ર વોટ મેળવવા માટે રાજકારણમાં નથી આવ્યો. સમાજ અને લોકોનાં કામ કરવા માટે રાજકારણમાં આવ્યો છું. ફોરેસ્ટ ગાર્ડ એમ કહે છે કે ચૂંટણીમાં પાડી દઇશું તો ભાઇ હું 1995 થી રાજકારણમાં જીતતો આવ્યો છું, તમતમારે પાડી દેજો. હું પ્રજા માટે લડુ છું પ્રજાની સુખાકારી મારૂ મુખ્ય લક્ષ્ય છે. હું રાજ્ય અને ભારત સરકારમાં મંત્રી રહી ચુક્યો છું. અમે પાડી દઇશું તેવા વ્હેમમાં કોઇ ન રહે. મને પાડવા વાળા અનેક ખોવાઇ ગયા છે. 
Mar 19,2022, 22:28 PM IST

Trending news