Nagar wada News

દિલ્હીની જેમ વડોદરામાં પણ તબલિગી મરકજ મળી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ
દિલ્હીની નિઝામુદ્દીન મરકજ (Nizamuddin Markaz) માંથી નીકળેલા સેંકડો લોકોએ  અનેક લોકોને ચેપ લગાવ્યો છે. ત્યારે વડોદરામાં આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દિલ્હીના નિઝામુદ્દીનની જેમ વડોદરામાં પણ તબલિગી મરકઝ મળી હોવાનો પર્દાફાશ  થયો છે. 14 માર્ચથી 20 માર્ચ સુધી નાગરવાડા વિસ્તારના સૈયદપુરામાં તબલિગી મરકજ (tablighi jamaat) મળી હતી. જેમાં મુંબઇ જોગેશ્વરી, આંધ્રપ્રદેશ અને ભાવનગરથી 3 જમાત આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. 3 જમાતના 22 લોકો વડોદરા આવ્યા હતા. આંધ્રપ્રદેશની જમાતના 7 લોકો આજે પણ છે. તો વડોદરા (vadodara) ની 6 જમાત શહેર બહાર ગઈ હતી. 6 જમાતના 77 લોકો મરકજ માટે બહાર ગયા હતા. જેની પોલીસ તપાસ કરી રહી છે. 
Apr 14,2020, 7:52 AM IST

Trending news