Junagadh ropeway project News

Junagadh: સ્વર્ગ જેવી અનુભૂતિ આપતા PM ના ડ્રીમ પ્રોજેક્ટને ત્રણ વર્ષ પુર્ણ
પ્રધાનમંત્રીનો ડ્રિમ પ્રોજેક્ટ એટલે જૂનાગઢ નો ગીરનાર રોપવેને 8 મહીના પૂર્ણ થતા 4 લાખ ભાવીકોએ ગીરનારની સફર કરીને માં અંબા દર્શન કર્યા હતા. એશીયાનો સૌથી ઊંચો અને લાંબો ગીરનાર રોપવેની નીમ પ્રધાનમંત્રીએ 1 મેં 2007ના રોજ રાખી હતી. ગીરનાર રોપવેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 25 ઓક્ટોબર 2020 ના રોજ તેનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ગીરનાર રોપવે ને 8 મહીના પૂર્ણ થતા 4 લાખ ભાવીકોએ રોપવેની સફર કરીને ગીરનારની ટોચ પર બીરાજમાન માં અંબાના દર્શન કર્યા છે. ત્યારે રોપવેના સંચાલન કરતા અધિકારીના કહેવા મુજબ લોકડાઉનના કારણે બે મહીના રોપવે બંધ રહયો છતાં ભાવીકોનો ઉત્સાહ વધ્યો છે. આજે સરકાર દ્વારા મંદીર અને જાહેર સ્થળ ને છૂટછાટ મળતા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માંથી ખુબ મોટી સંખ્યા માં પ્રવાસીઓ જોવા મળે છે.
Jul 2,2021, 22:16 PM IST

Trending news