Farmer of entire district News

આ સમસ્યાનો ઉકેલ ઝડપથી નહી આવે તો સમગ્ર જિલ્લાના ખેડૂતો સરકારી સહાય વગરના રહેશે
તાલુકામાં ખેડૂત ખાતેદારોની વારસાઈ કામગીરી અટવાતા ખેડૂતોને ભારે તકલીફો વેઠવી પડે છે. વારસાઈ નહિં થઈ હોવાના કારણે સરકારની કિસાન નિધિ સહિતની યોજનાઓના લાભથી કેટલાય ખેડૂતો વંચિત રહ્યા છે. મોટી સંખ્યામાં વારસાઈ બાકી  હોવા અંગે સ્થાનિક અગ્રણીઓ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે કલેકટરને રજુઆત પણ કરી છે. બીજી તરફ તલાટી સમયસર નહિં મળવા, મરણ રજીસ્ટર પણ ગ્રામ પંચાયત કક્ષાએ નહિં નિભાવવામાં આવવા, ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ પચાયતની કામગીરી કરતાં વીસી પણ ઉપસ્થિત નહિં રહેતા આ સમસ્યા ઉભી થઇ હોવાની રજૂઆતો ઉઠી છે. આ તમામ તકલીફો અને યોગ્ય જાણકારીના અભાવે ખેડૂતો આંટા ફેરા કરી નાણાં અને સમય વેડફી રહ્યા છે.
Sep 24,2020, 19:05 PM IST

Trending news