Abvp News

MSU માં હિન્દુ દેવતાના અભદ્ર ચિત્રોનો વિવાદ, ABVP ના 31 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાય
વડોદરામાં પોલીસ કર્મચારીઓને લાફો મારવાના મામલે ગુનો નોંધાયો છે. એમ. એમ. યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં દેવી-દેવતાઓના વાંધાજનક કટઆઉટનો વિરોધ થયો હતો. આ સમયે વિશ્વ હિન્દુ પરિષદના કાર્તિક જોષી અને ધ્રુવ પારેખે સયાજીગંજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભરતભાઈને થપ્પડ મારી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને હવે આ મામલે ગુનો નોંધાયો છે. સાથે જ આ વિરોધ દરમિયાન AVBPના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે મામલે ABVP ના 31 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે જાહેરનામા ભંગ, પોલીસની કામગીરીમાં રૂકાવટ સહિતની કલમો સાથે ગુનો નોંધ્યો છે. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનના PSI એ ડી ખાંટે ફરિયાદ નોધાવી છે.
May 9,2022, 9:00 AM IST
સૌરાષ્ટ્ર યુનિ.ના કૌભાંડોની ફાઈલો ખૂલતા જ ભાજપના રાજ્યસભાના સાંસદ પિક્ચરમાં આવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) શૈક્ષણિક સંસ્થાના બદલે રાજકીય અખાડો બની હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે થયેલી સિન્ડીકેટ બેઠકમાં એબીવીપીના હોબાળો બાદ ખુદ રાજ્યસભાના સાંસદ મેદાને આવ્યા છે. સાંસદ રામ મોકરિયા (Ram Mokariya) એ કુલપતિ સાથે મુલાકાત કરી એબીવીપી સામે ફરિયાદ ન કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે સિન્ડિકેટની બેઠક બાદ થયેલ ઘર્ષણમાં પોલીસે ગુંડાઓ જેવું વર્તન કર્યું હતું. વિદ્યાધામમાં આવા કૌભાંડો ના ચલાવી લેવાય. સમગ્ર મામલે હાઈ કમાન્ડ સુધી રજૂઆત કરી છે. સાથે જ તેમણે હાથ જોડીને ભલામણ કરી કે વર્ષોથી યુનિવર્સિટીમાં બેઠલા સિન્ડીકેટ સભ્યોને હટાવો. હવે બીજા નવા યુવાનોને તક આપવી જોઈએ. હવે યુનિવર્સિટીમાં ધ્યાન આપવાની જરૂર છે. જેથી હું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અનને મુખ્યમંત્રીને રજૂઆત કરીશ.
Oct 28,2021, 11:09 AM IST

Trending news