29 મેના સમાચાર News

ઝી 24 કલાકનું GujaratEVimarsh - કોરોના સંકટમાં પહેલીવાર ઈ-મંચ પર સાથે આવ્યા રૂપાણી સ
સૌથી મોટા ઈ-મંચ પર રૂપાણી સરકારના મંત્રીઓ એકસાથે આવવું ‘ગુજરાત e-વિમર્શ’ (GujaratEVimarsh) પણ શક્ય બન્યું છે. કોરોનાના કપરા કાળમાં આ તમામ મંત્રીઓ (Direct with ministers) ઝી 24 કલાકની સાથે એક મંચ પર આવ્યા છે, જેઓએ મહામારીના આ સંઘર્ષમાં સરકાર કેટલી પ્રયત્નશીલ છે અને લોકોએ પણ કેવો સાથ સહકાર આપવો તે વિશે મોકળા મને વાત કરી છે. ગુજરાત સરકારના મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી (અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા), સૌરભ પટેલ (ઊર્જા મંત્રી), વિભાવરીબેન દવે (મહિલા અને બાળ કલ્યાણ મંત્રી), યોગેશ પટેલ (નર્મદા અને શહેરી આવાસ મંત્રી), ગણપત વસાવા (વન અને આદિજાતિ વિકાસ મંત્રી), ઈશ્વર પરમાર (સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી), ઈશ્વરસિંહ પટેલ (રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ), જવાહર ચાવડા (પર્યટન અને મત્સ્યોદ્યોગ મંત્રી), જયેશ રાદડિયા (અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી) તેમજ કૌશિક પટેલ, મહેસૂલ મંત્રીએ ઝી 24 કલાકના પ્લેટફોર્મ પર શું વાત કરીએ તે જાણીએ...
May 29,2020, 18:38 PM IST
કોરોના ટેસ્ટની પરમિશન અંગે HCની ટકોર, ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે, ઉપરવાળો બધું જ
ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી ખાનગી હોસ્પિટલની માંગણી પર કરેલી અરજી મામલે હાઈકોર્ટમાં આજે સુનવણી હાથ ધરાઈ હતી. ખાનગી હોસ્પિટલોએ કરેલી અરજીને લઇને હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોને સીધું સૂચન કર્યું કે, ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે તેની તકેદારી રાખવી. ઉપરવાળો બધું જ જુએ છે તે પણ ધ્યાન રાખવું. જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ખાનગી હોસ્પિટલોના વકીલને આવી ટકોર કરી હતી. મહામારીમાં લોકોની મદદે આવું સરકારની સાથે ખાનગી હોસ્પિટલોની પણ એટલી જ ફરજ બને છે. હાઇકોર્ટ સરકારના re negotiation ના કરેલા પ્રયાસો કોર્ટના હુકમ બાદ હતા ત્યારે ખાનગી હોસ્પિટલો માનવતાનાં ધોરણે કામ કરે તે જરૂરી છે તેવું જણાવ્યું હતું. ત્યારે ખાનગી હોસ્પિટલના વકીલે હાઇકોર્ટનું કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલના સરકારે નક્કી કરેલા દરમાં પણ 5 થી 10 ટકા સુધીનો ઘટાડો કરશે.
May 29,2020, 14:40 PM IST
મોરબીની ગાડી પાટા પર આવી, 8૦૦માંથી ધીમેધીમે કરીને 200થી વધુ કારખાના ચાલુ થઇ ગયા
May 29,2020, 13:09 PM IST
માત્ર 6 મહિનાની દીકરીને સાસુ પાસે મુકીને કોરોનાના દર્દીઓની સેવામાં બિઝી રહે છે ડૉ. ક
May 29,2020, 12:04 PM IST
શું અમદાવાદના મેયર બીજલ પટેલને માસ્ક ન પહેરવા માટે દંડ થશે ખરો?
લોકડાઉન ખૂલવાની જાહેરાત કરતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માસ્ક ન પહેરનારને અને જાહેરમાં થૂંકવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારવામા આવશે. ત્યારે જાહેર જનતાને આ નિયમનું પાલન ન કરવા મામલે દંડ પણ ફટકારવામા આવ્યો છે. આવામાં અમદાવાદના મેયર બીજલ પટેલે આ નિયમનો ભંગ કર્યો હતો. Ppe કીટનું અનુદાન સ્વીકારતા સમયે મેયર બીજલ પટેલે માસ્ક પહેર્યું ન હતું. લો-ગાર્ડન સ્થિત સરકારી બંગલાના ગાર્ડનમાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં  અનેક લોકોની હાજરી હોવા છતાં માસ્ક ન પહેરી મેયરે  નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મેયર દ્વારા જ માસ્ક ન પહેરવાનો મામલો સોશિલ મીડિયા પર ચગ્યો હતો. આ મામલે સેંકડો યુઝર્સે કોમેન્ટ્સનો મારો ચલાવીને મેયરને ટ્રોલ કર્યા હતા. 
May 29,2020, 10:55 AM IST
સુરતથી સિવાન જતી ટ્રેન 9 દિવસે કેમ પહોંચી? માનવઅધિકાર આયોગે ગુજરાત-બિહાર સરકારને નોટ
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે (NHRC) ગુજરાત અને બિહાર સરકારને નોટિસ ફટકારી છે. રેલવે બોર્ડ અને કેન્દ્રીય ગૃહ સચિવને પણ શ્રમિકો મુદ્દે આ નોટિસ ફટકારાઈ છે. શ્રમિકો (migrants) ને પડી રહેલી હાલાકીના મીડિયા રિપોર્ટ બાદ આયોગે સુઓમોટોના આધારે નોટિસ ફટકારી છે. સુરતથી સિવાન જઈ રહેલી ટ્રેન 9 દિવસે કેમ પહોંચી તે મામલે આયોગે કહ્યું કે, જો મીડિયામાં આવેલા અહેવાલો સાચા હોય તો માનવ અધિકારોનો ભંગ થયો ગણાય. આ પરિવારોને પારાવાર નુકસાન થયું છે અને રાજ્યો તેમને રક્ષણ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. આયોગે ગુજરાત (Gujarat) અને બિહાર (Bihar) ના મુખ્ય સચિવો, રેલવે બોર્ડ અને કેન્દ્રીય ગૃહ સચિવ પાસે આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.
May 29,2020, 10:24 AM IST
1 જૂનથી ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં 34 ટ્રેન દોડશે, આ રહ્યું લિસ્ટ
કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા 1 જૂનથી દેશભરમાં ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી પણ ટ્રેનો શરૂ થશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા 1 જૂનથી ગુજરાતમાંથી 34 જેટલી ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા આ ખાસ ટ્રેનોની માહિતી રાજ્ય સરકારને આપવામાં આવી છે. આ ટ્રેનોમાં દક્ષિણ ગુજરાતને સૌથી વધુ 24 ટ્રેનોનો લાભ મળશે. મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે પણ એક ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. આ 34 ટ્રેનોમાં ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનો પણ છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે. 
May 29,2020, 9:36 AM IST
ફ્રન્ટલાઈન વોરિયર્સ પર કોરોનાનો કહેર, અમદાવાદના 197 ડોક્ટરો ઝપેટમાં આવ્યા
May 29,2020, 8:47 AM IST
ગુજરાતના 2 જજોની બદલી અંગે મોટી સ્પષ્ટતા: બદલી નહિ, માત્ર રોસ્ટર ચેન્જ થયું છે
May 29,2020, 8:10 AM IST

Trending news