21 day lockdow 0 News

ગુજરાતમાં આવેલા તબલિગી જમાતના 68 હજી પણ મિસીંગ, સરકારે HCમાં સોંપ્યો રિપોર્ટ
આજે અમદાવાદમાં કોરોના (corona virus) ના કુલ 7 નવા કેસ આવ્યા, જેમાંથી એક દિલ્હીના નિઝામુદ્દીન તબલિગી જમાતના મરકજ (Nizamuddin Markaz) માં હાજરી આપનાર શખ્સ પણ છે. આજે હાઈકોર્ટમાં કોરોના વાયરસ મામલે સુનવણી શરૂ થઈ. જેમાં ગુજરાત સરકારે કોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, નિઝામુદ્દીન તબગિલી જમાત (Tablighi Jamaat) ના કાર્યક્રમમાથી 68 લોકોની શોધખોળ થઈ શકી નથી. પોલીસ હજુ તેઓની શોધખોળ કરી રહી છે. 83 લોકોને આઇડેન્ટિફાઈ કરીને કવોરંટાઇન કરાયા છે. આ તમામ તબલિગી જમાતમાં ભાગ લીધેલા અથવા નિઝામુદ્દીન જઇ આવેલા લોકો છે. આવા લોકોની ભાળ મેળવવા માટે RAWની મદદ પણ લેવાઈ રહી છે. આવી અનેક રજૂઆત એડવોકેટ જનરલે હઈકોર્ટ (HC) માં કરી છે. 
Apr 3,2020, 13:50 PM IST
કોરોના ભારતની અર્થવ્યવસ્થાને ભાંગીને ભૂક્કો કરી નાંખશે, જુઓ શું કહે છે ADBનો રિપોર્ટ
Apr 3,2020, 13:11 PM IST
ગુજરાતમાં Coronaના 82 દર્દી, 8 નવા કેસનો ઉમેરો, તમામ અમદાવાદના...
ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus)ના પોઝિટિવ દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવે લેટેસ્ટ આંકડા વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલના રોજ નવા 8 પોઝિટિવ કેસ સામે આવ્યા અને બધા જ અમદાવાદના કેસ છે. એક 52 વર્ષના પુરુષ તેમની આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. બીજા એક 18 વર્ષના યુવાન છે, જેઓએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. એક 45 વર્ષના મહિલા છે, જેઓએ પણ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. ચોથા દર્દી 65 વર્ષની મહિલા છે, જેઓએ લોકલ ટ્રાન્સપોર્ટ કર્યો હતો. 61 વર્ષના એક દર્દીએ આંતરરાજ્ય પ્રવાલસ કર્યો હતો. તો અન્ય એક 64 વર્ષના પુરુષે વિદેશ પ્રવાસ કર્યો છે. આ તમામનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 82 થયા છે. 
Apr 1,2020, 11:04 AM IST

Trending news