સંદીપ સિંહ News

સુશાંતના મોતના દિવસથી જ એકાએક એક્ટિવ થઈ ગયો હતો સંદીપ સિંહ? કોલ ડિટેલથી ખુલાસો
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Death Case) માં સીબીઆઈ ફિલ્મ દિગ્દર્શક સંદિપ સિંહ(Sandeep Singh)ની બહુ જલદી પૂછપરછ કરશે. સંદીપ સિંહની કોલ ડિટેલથી મોટો ખુલાસો થયો છે કે તેની સુશાંત સાથે લાંબા સમયથી વાતચીત જ નથી થઈ. પરંતુ સુશાંતના મોત બાદ સંદીપ મૃતદેહને હોસ્પિટલ લઈ જનારા એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને તપાસ અધિકારી ભૂષણ બેલનેકર સાથે સતત સંપર્કમાં હતો. આ સાથે જ સુશાંત સિંહના પરિવારનું એમ પણ કહેવું છે કે સ્મશાન ભૂમિમાં જ્યારે પોલીસ તરફથી ફક્ત 20 લોકોની જ યાદી આપવાની વાત સામે આવી ત્યારે સંદીપે પોતાના મનથી જ પોતાની રીતે તે 20 લોકોની યાદી બનાવીને આપી દીધી હતી. પરિવારને આ અંગે જરાય પૂછવામાં આવ્યું નહતું. 
Aug 26,2020, 9:56 AM IST

Trending news