વન મહોત્સવ News

પંચમહાલમાં તૈયાર છે જેપુરા વન કવચ અને મગર ઘર! પાવાગઢ જાઓ તો જોવાનું ના ચુકતા
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ત્રીજી ઓગસ્ટના રોજ ૭૪માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરાશે. મુખ્યમંત્રીના હસ્તે ૧.૧ હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું કરાશે લોકાર્પણ, ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર- પાવાગઢનું પણ ઈ- લોકાર્પણ કરાશે. ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતની નેમ સાથે આ વન મહોત્સવ ઉજવાવાશે. પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે વન કવચનું નિર્માણ કરાયું છે જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. પંચમહાલ - જેપુરા ખાતે નિર્માણ પામેલા વન કવચની વિશેષતાઓ:
Aug 3,2023, 8:46 AM IST

Trending news