ભરતજી ઠાકોર News

આ 3 ધારાસભ્યો કોંગ્રેસની મહેનત પર પાણી ફેરવી શકે છે, ક્રોસ વોટિંગની શક્યતા
આજે રાજ્યસભાની બે બેઠક માટે મતદાનનો પ્રારંભ થયો છે. સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. જોકે, ભાજપની જીત નક્કી જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. ભાજપે ચૂંટણી મેદાને ઉતારેલા બંને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવી છે પણ ઔપચારીક રીતે મતદાન યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે એક લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે.અને પોતાના ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટેનો વ્હીપ આપ્યો છે. આ ચૂંટણીની સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત ક્રોસ વોટિંગ છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
Jul 5,2019, 10:59 AM IST

Trending news