કોવીડ 19 News

ભારતમાં હારશે કોરોના! PM મોદીએ સમીક્ષા બેઠકમાં કહ્યું દરેક સ્થિતી માટે રહો તૈયાર
ભારતમાં દરરોજ કોરોના વાયરસનાં દર્દીઓ વધી રહ્યા છે. અત્યાર સુધી 34 કેસ સામે આવી ચુક્યા છે, જેમણે દેશવાસીઓની ચિંત વધતી જઇ રહી છે. જેને જોતા વડાપ્રધાન મોદી સતર્ક છે. શુક્રવારે કોરોના વાયરસની વિરુદ્ધ મળીને લડવાની વાત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ શનિવારે કેન્દ્રીય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થયમંત્રી હર્ષવર્ધન વિદેશ મંત્રી એસ.જયશંકર, સ્વાસ્થય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચોબે અને સંબંધિત વિભાગોના મોટા અધિકારીઓ જોડાયા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીને જણાવવામાં આવ્યું કે, કોરોનાને અટકાવવા અને સંક્રમીત લોકોની સારવાર માટે દરેક પ્રકારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Mar 7,2020, 20:03 PM IST

Trending news