ઊત્તર પ્રદેશ News

ગુજરાત સરકાર આગેવાનો સાથે મળીને પરપ્રાંતિયોનું લિસ્ટ બનાવશે
સીએમઓના સચિવ અશ્વિની કુમારે કોરોના અને લોકડાઉન અંગેના અપડેટ્સ આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ તમામ જીલ્લા કલેક્ટરોને સૂચના આપી જે પોતાના વતનમાં જવા માગે છે તેઓને તેમના વતનમાં ઝડપથી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે. જ્યાં સુધી પરપ્રાંતિય (migrants) જવા ઈચ્છતા હોય તેમને સારી રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહેશે. ધક્કામુક્કી કે અવ્યવસ્થા વગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે. ગઇકાલ સુધીમાં ૩૯ ટ્રેનોમાં ૪૬ હજાર જેટલા પરપ્રાંતીઓ રવાના થયા છે. આજે બીજી 30 ટ્રેનનું આયોજન છે, ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશમાં જશે. યુપીમાં 18 બિહારમાં 7 ટ્રેન જશે. સાંજ સુધીમાં ૮૨ હજાર 800 જેટલા પરપ્રાંતિયો રવાના થશે. આજે પોણા ચાર લાખ સુધીનો આંકડો પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને ધીરજ ધરવાની અપીલ કરી છે. આ કામગીરી 10 થી 15 દિવસમાં પૂરી કરી દેવાશે. જો જરૂર પડશે તો તેમાં વધારો કરવામાં આવશે.
May 6,2020, 14:27 PM IST
પરપ્રાંતિયો પાસેથી ભાડુ વસૂલવા મુદ્દે ગુજરાતમાં રાજકારણ, પરંતુ આખરે મરો તો મજૂરોનો જ
પરપ્રાંતિય મજુરો પાસેથી વતન જવા ભાડુ વસુલવાનો મુદ્દો વકર્યો છે. વતન જવા માંગતા લોકો (migrants) પાસેથી કેન્દ્ર સરકારના 85 ટકા અને રાજ્ય સરકારના 15 ટકાના હિસાબે પ્રમાણે ભાડુ વસૂલવાનું નક્કી થયું હતું. છતાં જંબુસરના ઇનેસીડન્ટ કમાન્ડર અને એક્ઝ્યુક્યુટિવ મેજીસ્ટ્રેટે ઉત્તરપ્રદેશ જવાના 685 રૂપિયા અને બિહાર જવાના 760 રૂપિયાનો ચાર્જ વસૂલવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપ્યો હતો. આજે 5 મેના રોજ નીકળનારી ટ્રેન માટે આટલુ ભાડુ લેવાનો આદેશ આપ્યો હતો. તો સુરત જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા પણ મજૂરો પાસેથી ભાડુ વસૂલવા સુરત સ્ટેશન માસ્તરને લેખિત જાણ કરી હતી. તો બીજી તરફ, સુરત અધિક કલેક્ટર દ્વારા આજે જનારી ટ્રેન માટે ભાડુ વસુલવા સ્ટેશન માસ્તરને લેખિતમાં સૂચના અપાઈ હતી. સુરત કલેક્ટર દ્વારા પરપ્રાંતિય સમાજના પ્રમુખ પાસેથી ભાડુ વસૂલવા જણાવાયું હતું. આમ, ગુજરાતમાં પરપ્રાંતિયોને જ્યાં વતન જવાનો માર્ગ મોકળો દેખાયો છે, ત્યાં તેઓ હવે ભાડાના વિવાદમાં સપડાયા છે. 
May 6,2020, 13:25 PM IST
ગુજરાત સરકારની અપીલ, પરપ્રાંતિયો વતન જવાની ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે
રાજ્યમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોનો મુદ્દો ચગ્યો છે. આવામાં પરપ્રાંતિયો અને શ્રમિકોને સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી બહાર જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ 7 ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ 10 ટ્રેન આજે રવાના થવાની છે. ઓરિસ્સા જવા માટે સુરતથી કુલ 8 ગઈ છે. આમ, કુલ ૨૩ ટ્રેનના માધ્યમથી 28 હજાર જેટલા પરપ્રાંતિયોને ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. આજે બીજી 12 ટ્રેન રવાના થશે. વિરમગામથી યુપીની પણ ટ્રેન આજે રવાના થશે. અમદાવાદથી પણ બે ટ્રેનો રવાના થશે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે કુલ ૩૫ ટ્રેનો જશે. ગુજરાતમાંથી સવા ત્રણ લાખ પરપ્રાંતિયો ટ્રેન અને બસમાં જવા નીકળ્યા છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને અપીલ કરી જે પણ શ્રમિક જવા માગે છે તેને મોકલવામાં આવશે, પણ તેઓ ધીરજ રાખે. હજુ પણ ટ્રેન ની સંખ્યા વધારવામાં આવશે. 
May 5,2020, 14:43 PM IST
સુરતના રત્ન કલાકારોને વતન મોકલવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
સુરતના રત્ન કલાકારો માટે પણ સારા સમાચાર આવ્યા છે. રત્ન કલાકારો (dimond workers) ને સૌરાષ્ટ્ર મોકલવા મુદ્દે આજે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સુરત (Surat) માં ફસાયેલા રત્ન કલાકારોને કઈ રીતે સૌરાષ્ટ્ર મોકલી શકાય તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી. ત્યારે બેઠકમાં નિર્ણય લેવાયો કે, આવતીકાલથી રત્ન કલાકારોને સુરત મોકલવા માટે રજિસ્ટ્રેશન કરાશે. તેમજ પરમ દિવસથી બસોને રવાના કરાશે. ગુરુવારથી લકઝરી બસો દ્વારા રત્ન કલાકારોને લઈ જવાશે. જે માટે આવતીકાલે રજિસ્ટ્રેશન કરાશે, કલેક્ટરની મંજૂરી બાદ જ રત્ન કલાકારો વતન જઈ શકશે. જે-તે ગામમાં મજૂરોનું લિસ્ટ તૈયાર કરાશે. આ લિસ્ટ ગ્રામ પંચાયત બાદ તાલુકામાં મોકલાશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કામ કરતા મોટાભાગના રત્ન કલાકારો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના રહેવાસી છે, જેઓએ પોતાના વતન જવા માટે માંગ કરી હતી. 
May 5,2020, 12:23 PM IST

Trending news