World Cup 2023 માં આ ખતરનાક ખેલાડી લેશે ઋષભ પંતનું સ્થાન! કરે છે ધોની જેવી તોફાની બેટિંગ

World Cup 2023 : ભારતમાં એકથી એક પ્રતિભાશાળી ક્રિકેટર્સની ભરમાર છે. બસ એમને યોગ્ય સમયે મોકો મળવાની જરૂર છે. આવો જ એક ખતરનાક ખેલાડી હાલ પંજાબની ટીમમાંથી આઈપીએલ રમે છે. જેને ટીમ ઈન્ડિયામાં વર્લ્ડ કપ રમવાનો ચાન્સ મળી શકે છે.

World Cup 2023 માં આ ખતરનાક ખેલાડી લેશે ઋષભ પંતનું સ્થાન! કરે છે ધોની જેવી તોફાની બેટિંગ

Team India Cricketer: પંજાબ કિંગ્સના વિકેટ-કીપર બેટ્સમેન જીતેશ શર્માએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની વર્તમાન સિઝનમાં પોતાની આક્રમક બેટિંગથી પ્રભાવિત કર્યા છે અને ટીમના બેટિંગ કોચ વસીમ જાફરનું માનવું છે કે તે રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. વિદર્ભના આ 29 વર્ષીય વિકેટકીપરને ગયા વર્ષે પંજાબ કિંગ્સે માત્ર 20 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. તેણે આ સિઝનમાં ટીમના મુખ્ય વિકેટ કીપર બેટ્સમેન જોની બેરસ્ટોની ગેરહાજરીનો લાભ લઈને કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે.

આ વિકેટકીપર 2023 વર્લ્ડ કપમાં રિષભ પંતનું સ્થાન લેશે!
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર જાફરે અહીં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું, 'અલબત્ત, તેણે ગયા વર્ષે પણ સારું પ્રદર્શન કર્યું હતું. મને લાગે છે કે હવે તે વધુ સારો બની ગયો છે, તેની બેટિંગમાં સુધારો થયો છે, તે પહેલાથી જ સારો વિકેટકીપર છે.

ધોની જેવી તોફાની બેટિંગ-
રિષભ પંતની ઈજાના કારણે ભારતીય ટીમ એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ માટે એક સારા વિકેટકીપર પર નજર રાખી રહી છે. જીતેશે મુંબઈ સામે 27 બોલમાં અણનમ 49 રનની ઇનિંગ રમીને પોતાની પ્રતિભા પુરવાર કરી હતી. તેને આ વર્ષે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની T20 ઈન્ટરનેશનલ મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. જાફરે કહ્યું, 'તેને ભારતીય ટીમમાં જગ્યા મળી પરંતુ ડેબ્યૂ કરવાની તક મળી નહીં. હું તેને ઓળખું છું. હું તેની સાથે વિદર્ભ માટે રમ્યો છું. તેણે કહ્યું, 'તેની રમતમાં સુધારો થતો જોવાનું સારું છે. પાંચ, છ અને સાતમાં નંબર પર બેટિંગ કરીને તેણે ફિનિશર તરીકે સારું પ્રદર્શન કર્યું છે. તે ભારતીય ટીમ માટે રમવા માટે લગભગ તૈયાર છે. (Source - PTI)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news