રોહિત શર્માએ વિરાટ કોહલીને ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર કર્યો અનફોલો, કંઇક તો છે ગરબડ

રોહિત શર્માને 15 સપ્ટેમ્બરથી શરૂ થનાર એશિયા કપ માટે ટીમ ઇંડીયાની કમાન સોંપવામાં આવી છે. એશિયા કપમાં વિરાટ કોહલી ટીમનો ભાગ નહી હોય, ત્યારબાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. 

રોહિત શર્માએ વિરાટ કોહલીને ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર કર્યો અનફોલો, કંઇક તો છે ગરબડ

નવી દિલ્હી: એક છે શર્માજી પુત્ર એટલે કે રોહિત શર્મા અને બીજા છે શર્મા જીના જમાઇ એટલે કે વિરાટ કોહલી. ટીમ ઇન્ડીયામાં તેમનો સાથ જોવા મળે કે ન મળે પરંતુ હવે સોશિયલ મીડિયા પર આ બંને સાથે-સાથે નથી. સમાચાર મળી રહ્યા છે કે રોહિત શર્માએ વિરાટ કોહલીને ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ બંને પર અનફોલો કરી દીધા છે. હાલમાં તેનું કારણ સ્પષ્ટ થયું નથી પરંતુ એટલું જરૂર છે કે મામલો ગરબડ છે. કારણ કે જ્યારે ભારતીય ક્રિકેટર ફેંસે તેનો જવાબ બંને પાસેથી જાણવા માંગ્યો તો તેમની તરફથી કોઇ જવાબ આવ્યો નહી.

મળતી માહિતી અનુસાર રોહિત શર્માએ ના ફક્ત વિરાટ કોહલીને પણ તેમની પત્ની અનુષ્કા શર્માને પણ અનફોલો કરી દીધા છે. રોહિત શર્મા દ્વારા વિરાટ અને તેમની પત્ની અનુષ્કા શર્માને અનફોલો કર્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે મેદાન પર જીતનો ઢંઢેરો પીટ્યા બાદ આ બંને ખેલાડીઓ વચ્ચે તણાવ અને કડવાહટ પેદા થઇ ગઇ છે. 

— Bharath Youwecan (@bharathyouwe) September 3, 2018

— Souvik Bhattacharya (@imsouvikb) September 5, 2018

ઘણી ટેસ્ટ ટીમમાં સિલેક્શન તો કારણ નથી ને?
તાજેતરમાં જ રોહિત શર્માએ ઇંગ્લેંડ પ્રવાસની ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. પહેલી 3 ટેસ્ટ બાદ અંતિમ બે ટેસ્ટ મેચો માટે પણ રોહિત શર્માની પસંદગી કરવામાં આવી ન હતી. રોહિતના બદલે પૃથ્વી શો અને હનુમા વિહારીને તક આપવામાં આવી હતી. ટીમ સિલેક્શનમાં કેપ્ટનની મહત્વની ભૂમિકા હોય છે, બની શકે કે તેના લીધે રોહિત શર્મા નારાજ હોય.  

— Naga Sai Reddy (@imNagasai45) September 3, 2018

એશિયા કપમાં રોહિત કેપ્ટન
તમને જણાવી દઇએ કે રોહિત શર્માને 15 સપ્ટેમ્બરથી શરૂ થનાર એશિયા કપ માટે ટીમ ઇંડીયાની કમાન સોંપવામાં આવી છે. એશિયા કપમાં વિરાટ કોહલી ટીમનો ભાગ નહી હોય, ત્યારબાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news