INDvsWI: કેદાર જાધવ ફિટ હોવા છતાં ન થયો ટીમમાં સિલેક્ટ, વ્યક્ત કર્યો આશ્ચર્ય

આ ટીમમાં જ્યાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહની વાપસીની ચર્ચાઓ છે તો ત્યાં કેદાર જાધવનું સિલેક્શન ન કરવાને લઇને પણ સૌ કોઇ આશ્ચર્ય થઇ ગયા છે.

INDvsWI: કેદાર જાધવ ફિટ હોવા છતાં ન થયો ટીમમાં સિલેક્ટ, વ્યક્ત કર્યો આશ્ચર્ય

નવી દિલ્હી: ભારત-વેસ્ટ ઇન્ડિઝ વન-ડે સીરીઝ વચ્ચે ત્રણ મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરત થઇ ગઇ છે. આ ટીમમાં જ્યાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહની વાપસીની ચર્ચાઓ છે તો ત્યાં કેદાર જાધવનું સિલેક્શન ન કરવાને લઇને પણ સૌ કોઇ આશ્ચર્ય થઇ ગયા છે. કેદાર બાંગ્લાદેશની સામે એશિયા કપની ફાઇનલમાં ઇજાગ્રસ્ત થયો હતો, પરંતુ ઇજા બાદ પણ તે છેલ્લે સુધી મેચમાં બેટિંગ કરવા આવ્યો અને ટીમને અંતિમ બોલ પર એક વિકેટથી જીત હાંસલ કરાવી હતી. તેને આ ઇજાના કારણે પહેલી બે વન-ડેમાં સિલેક્ટ કરવામાં આવ્યો ન હતો.

હેવે તે સ્વસ્થ થઇ ગયા પછી કેદાર જાધવનું ટીમમાં સિલેક્શન ન કરવા પર કહ્યું કે વેસ્ટ ઇન્ડિઝની સામે બાકીની ત્રણ વન-ડે મેચ માટે ટીમ ઇન્ડિયામાં સિલેક્શન ના કરવા વિશે કોઇ જાણકારી તેને આપવામાં આવી ન હતી.

દેવધર ટ્રોફીમાં થઇ હતી તેના ફિટનેસની કસોટી
ઉલ્લેખનીય છે કે દેવધર ટ્રોફીની વચ્ચે જાધવને ભારત એ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી કેમ કે સિલેક્ટકર્તાએ તેમની વાપસીનો નિર્ણય કરતા પહેલા તેમની ફિટનેસની કસોટી કરવા માંગતા હતા. ત્રણ રાષ્ટ્રિય સિલેક્શન કર્તાની હાજરીમાં જાધવે 25 બોલમાં 41 રનની બેટિંગ કરી અને પાંચ ઓવર પણ નાખીં તેનો દાવો સબમિટ કર્યો પરંતુ દેવધર ટ્રોફી મેચ દરમિયાન જાહેર થયેલી ટીમમાં મહારાષ્ટ્રના આ ખેલાડીને જગ્યા આપવામાં આવી ન હતી.

જાધવને જ્યારે પૂછવામાં આવ્યું કે વેસ્ટ ઇન્ડિઝની સામે બાકી ત્રણ મેચમાં તેમનું સિલેક્શનને લઇને કોઇપણ પ્રકારની જાણકારી આપવામાં આવી છે તો તેણે કહ્યું કે ‘મને તેની જાણકારી નથી.’ પુણેના આ 33 વર્ષના ખેલાડીએ કહ્યું કે ‘જોઇએ છે શું થાય છે, મને આ વિશે જણાવનાર તમે પહેલા વ્યક્તિ છો. મારે તે જોવાની જરૂરીયાત છે કે તેમણે મને કેમ સિલેક્ટ કર્યો નથી. હું ટીમમાં ન હતો માટે મને ખબર નથી કે શું યોજના છે. સંભવત: હું રણજી ટ્રોફીમાં રમીશ.’

ફોર્મમાં ઇજા થવું મુશ્કેલી ભર્યું
જાધવે ગત મહિને એશિયા કપ દરમિયાન ટીમમાં વાપસી કરી હતી પરંતુ ફાઇનલમાં માંસપેશિઓમાં ખેચાણની સમસ્યા ફરી થવાના કારણે તેમને બીજીવાર પુનર્વસન પસાર થવું પડ્યું હતું. જાધવે કહ્યું કે જ્યારે તમે સારૂ રમી રહ્યા હોવ છો અને ઇજાગ્રસ્ત થઇ જાઓ છો તો તેનાથી પીડા પહોંચે છે. તેણે કહ્યું કે, પુનર્વસન સારૂ રહ્યું. હું બધા ટેસ્ટમાં પાસ થયા પછી અહીંયા સ્વસ્થ થઇને આવ્યો હતો. બધું જ ઠીક છે. અલબત્ત જ્યારે તમે ફોર્મમાં હોવ અને ઇજાગ્રસ્ત થઇ જાઓ ત્યારે પીડા પહોંચે છે. તેનાથી અનિશ્ચિતતા ઉભી થયા છે કે તમને ફરી તક ક્યારે મળશે. જ્યારે તમે વાપસી કરો છો તો ત્યારે તમારે શૂન્યથી શરૂઆત કરવી પડે છે. કેમકે તમે ઘણી મેચ રમવાથી ચુકી ગયા હોવ છો. તેનાથી પીડા પહોંચે છે પરંતુ તમારે તે સ્વીકાર કરી આગળ વધવું પડે છે.

આપીએલમાં ઇજા થયા બાદ કરાવી હતી સર્જરી
કેદાર જાધવ લાંબા સમયથી માંસપેશિઓના ખેચાણની સમસ્યાથી લડી રહ્યો છે. આ વર્ષે આઇપીએલમાં ચેન્નાઇ સુપરકિંગ્સની તરફથી રમતા કેદાર જાધવ 7 એપ્રીલે મુંબઇ ઇન્ડિયન્સની સામે પ્રથમ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ ટૂર્નામેન્ટની બાકી મેચ રમી શક્યો ન હતો. ચેન્નાઇના ઓલરાઉન્ડર ખેલાડી અને મુંબઇની સામે જીતમાં છેલ્લી ઓવરમાં જીત હાંસલ કરાવનાર કેદાર જાધવ માંસપેશિઓના ખેચાણના કારણે ઇન્ડિયન પ્રિમિયર લીગથી બહાર થઇ ગયો હતો. ત્યાર પછી તેણે સર્જરી કરાવી હતી અને ભારતના આયરલેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસનો ભાગ બની શક્યો ન હતો. ત્યારબાદ તેને અશિયા કપમાં વાપસી કરી હતી પરંતુ ફાઇનલમાં ફરી ઇજાગ્રસ્ત બન્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news