SRH vs LSG: આજની IPL મેચ પર સંકટના વાદળો, રદ થઇ તો શું થશે? કોને ફાયદો કોને નુકસાન

SRH vs LSG Weather Report: આઇપીએલ 2024 ના 57મા મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદ્વાબાદની ટક્કર છે. આજે (8મે) થનાર આ મેચ પર વરસાદનો પડછાયો મંડરાઇ રહ્યો છે. હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. 

SRH vs LSG: આજની IPL મેચ પર સંકટના વાદળો, રદ થઇ તો શું થશે? કોને ફાયદો કોને નુકસાન

SRH vs LSG Rain Prediction: જેમ જેમ આઇપીએલ 2024 પોતાના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે તેમ તેમ પ્લેઓફની રેસ પણ રસપ્રદ થતી જાય છે. આ સીઝનમાં 56 મેચો રમાઇ ચૂકી છે પરંતુ કોઇપણ ટીમ પ્લેઓફની ટિકીટ કપાવી શકી નથી. આઇપીએલ 2024 ના 57મા મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદ્રાબાદની ટક્કર છે.

આજે (8મે) યોજાનાર મેચ પર વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. બંને ટીમો પ્લેઓફની રેસમાં છે. બંને ટીમો 12-12 પોઇન્ટ છે. હવે સવાલ એ છે કે જો મેચ વરસાદના કારણે ધોવાય જાય છે તો શું થશે? એવામાં કઇ ટીમને ફાયદો અને કઇ ટીમને નુકસાન થશે. આવો જાણીએ મેચ દરમિયાન હવામાન કેવું રહેશે?  

મેચના સમયે કેવું રહેશે હવામાન? 
હાલ હૈદ્રાબાદમાં ભારે વરસાદ છે. એવામાં ફેન્સનું ટેન્શન વધી ગયું છે. પોતાની ફેવરિટ ટીમને જીતતા જોઇ દરેક ફેન માટે સ્પેશિયલ ફિલિંગ થાય છે. AccuWeather ના રિપોર્ટના અનુસાર 8 મે (બુધવાર) સાંજે 5 વાગ્યાથી વરસાદની સંભાવના છે અને કેટલાક સ્થળો પર ગરર્જના સાથે વરસાદ પડી શકે છે. મેચના દિવસે વરસાદની 40 ટકા સંભાવના છે અને તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની આશા છે. ભેજ 62 ટકા આસપાસ રહેશે. તમને જણાવી દઈએ કે ગઈકાલે સ્ટેડિયમમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જો કે, મેચ સમયે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ જો વરસાદ થશે તો ચાહકોની મજા ચોક્કસ બગડી જશે.

વરસાદથી મેચ ધોવાય જાય તો શું થશે? 
મેચના સમયે જો વરસાદ થાય છે તો કુલ ઓવર રમાઇ શકે છે, જેથી જીત-હાર્નો નિર્ણય થઇ જશે, પરંતુ જો મેચમાં એકપણ બોલ નહી પડે તો એવામાં બંને ટીમોને 1-1 પોઇન્ટ આવ્યા હતા. એવામાંમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના 13-13 પોઈન્ટ હશે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપર જશે.

કોને ફાયદો અને કોને નુકસાન? 
વરસાદના લીધે મેચ ધોવાય જાય છે તો ચેન્નઇ સુપર કિંગસને ભારે નુકસાન થશે. ચેન્નઇની ટીમ અત્યારે ત્રીજા નંબર છે, પરંતુ લખનઉ અને હૈદ્રાબાદના 13-13 પોઇન્ટ બાદ CSK 5મા નંબર પર પહોંચી જશે.  ચેન્નાઈ સુપર કિંગ્સના 12 પોઈન્ટ છે. 1-1 પોઈન્ટ સાથે લખનૌની ટીમ ટેબલમાં ચોથા સ્થાને અને હૈદરાબાદ ત્રીજા સ્થાને પહોંચી જશે. દિલ્હી કેપિટલ્સ પણ એક સ્થાન ઘટીને છઠ્ઠા સ્થાને આવી જશે. દિલ્હીના પણ 12 પોઈન્ટ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news