IND vs BAN: રાજકોટ ટી20 પહેલાં મેહમૂદુલ્લાહે કહ્યું, જો અમે સીરીઝ જીત્યા તો...

પહેલાં ટી20 મેચમાં ટીમ ઇન્ડીયાની હાર બાદ ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) રાજકોટમાં બીજી ટી20 મેચ માટે ગુરૂવારે મુકાબલો યોજાવવાનો છે. આ મેચ પહેલાં સંવાદદાતઓ સાથે વાત કરતાં બુધવારે મેચને લઇને પોતાની ટીમના દ્વષ્ટિકોણ કરી હતી. મેહમૂદુલ્લાહાનું માનવું છે કે જો તેમની ટીમ આ મેચ જીતી લે છે.

IND vs BAN: રાજકોટ ટી20 પહેલાં મેહમૂદુલ્લાહે કહ્યું, જો અમે સીરીઝ જીત્યા તો...

રાજકોટ: પહેલાં ટી20 મેચમાં ટીમ ઇન્ડીયાની હાર બાદ ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) રાજકોટમાં બીજી ટી20 મેચ માટે ગુરૂવારે મુકાબલો યોજાવવાનો છે. આ મેચ પહેલાં સંવાદદાતઓ સાથે વાત કરતાં બુધવારે મેચને લઇને પોતાની ટીમના દ્વષ્ટિકોણ કરી હતી. મેહમૂદુલ્લાહાનું માનવું છે કે જો તેમની ટીમ આ મેચ જીતી લે છે, તો આ તેમના દેશમાં રમવા માટે ઉત્સાહ ભરનાર ઉપલબ્ધિ હશે. 

બાંગ્લાદેશ ક્રિકેટ પર સારી અસર પડશે
મેહમૂદુલ્લાહે મેચ પહેલાં પૂર્વ સંધ્યા સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે 'જો તમે તાજેતરની ઘટનાઓ પર નજર કરો તો જે પણ બાંગ્લાદેશ થઇ રહ્યું છે, આ સીરીઝ જીતતાં બાંગ્લાદેશ ક્રિકેટ અને અમારી ટીમને ખૂબ પ્રોત્સાહન મળશે. અમને આશા છે કે મેચ જીતવા માટે જ રમીશું કારણ કે અમે જાણીએ છીએ કે ઘર અને ઘરની બહાર બંને જગ્યાએ કેટલી મજબૂત ટીમ છે. એટલા માટે પહેલા બોલમાંથી ટોપ પર રહેવા માંગીએ છીએ. 

એક મોટી તક છે આ
હમૂદુલ્લાહે કહ્યું કે ઉલ્લેખનીય છીએ કે એક મોટી તક છે, ખાસકરીને જ્યારે તમે પહેલી મેચ જીતી ચૂક્યા હોવ. મને લાગે છે કે અમારા ખેલાડી ખૂબ ઉત્સાહ અનુભવી રહ્યા છે. અને આશા છે કે અમે સારી રમત રમીશું. આ જીતથી અમારો આત્મવિશ્વાસ વધશે. અમને મેચની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છીએ. દરેક પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરશે.  

ટી20માં આ વાત હોય છે મહત્વપૂર્ણ
ટી20 ફોર્મેટ વિશે વાત કરતાં મેહમૂદુલ્લાહે કહ્યું કે જો ટી20માં તમે વિકેટને યોગ્ય રીતે લો છો અને તેના અનુસાર ફિલ્ડીંગ ગોઠવો છો. તો તમારી સંભાવનાઓ સારી હોય છે. આ ફોર્મેટમાં યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે. તમારી પાસે પહેલાંથી પ્લાનિંગ હોવું જોઇએ, પરંતુ તમારે તેમાં ફેરફાર કરવો જોઇએ. એટલા માટે પરિસ્થિતિઓ અનુસાર ઢળવાની ક્ષમતા મહત્વપૂર્ણ થઇ જાય છે. 

ટીમ ઇન્ડીયાને હરાવવી એક મોટી ઉપલબ્ધિ હશે
ટીમ ઇન્ડીયા એક મોટી ટીમ છે, તેમણે ગત 11-12 વર્ષોમાં સાબિત કર્યું છે કે તે કેટલી મજબૂત છે. આ અમે જીતી જઇએ છીએ તો એક મોટી ઉપલબ્ધિ હશે. આ મેચમાં બાંગ્લાદેશની ટીમ પોતાના સ્ટાર બેટ્સમેન તમીમ ઇકબાલ અને કેપ્ટન શાકિબ અલ હસન રમશે નહી. તમીમ પારિવારીક કારણોથી આ સીરીઝમાંથી બહાર છે, તો બીજી તરફ શાકિબ આઇસીસીએ બેન લગાવ્યો છે. 

બીજી સીરીઝ જીતી શકે છે બાંગ્લાદેશ
આ બંનેની ગેરહાજરીમાં પહેલાં ટી20માં બાંગ્લાદેશે ટીમ ઇન્ડીયાને 7 વિકેટથી માત આપી હતી. આ બાંગ્લાદેશની ભારત વિરૂદ્ધ પ્રથમ ટી20 જીત હતી. આ પહેલાં 8 ટી20 મેચોમાં બાંગ્લાદેશને ભારત વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે આ પહેલાં બે વર્ષ પહેલાં વેસ્ટઇન્ડીઝને હરાવી પ્રથમ ટી20 સીરીઝ જીતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news