ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ માટે પસંદ કર્યા ચાર સ્પિનર, ચહલ સહિત આ દિગ્ગજોને ન મળ્યું સ્થાન

Gautam Gambhir Selected 4 Spinners For World Cup : ગૌતમ ગંભીરે આગામી ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના 4 સ્પિનરોની પસંદગી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે તેણે યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને આ યાદીમાંથી બહાર રાખ્યા છે. આ સિવાય તેણે અન્ય 4 સ્પિનરોની પસંદગી કરી

ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ માટે પસંદ કર્યા ચાર સ્પિનર, ચહલ સહિત આ દિગ્ગજોને ન મળ્યું સ્થાન

Gautam Gambhir Selected 4 Spinners For World Cup : ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામેની વનડે સીરિઝ પોતાના નામે કરી ચુક્યું છે. ભારતીય ટીમ આ સીરિઝને વન ડે વર્લ્ડ કપની તૈયારી સમાન માની રહ્યું છે. ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આ વર્ષ થનારા વર્લ્ડ કપ માટે ચાર સ્પિનરોને પસંદ કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ગંભીરે પોતાની લિસ્ટમાં યુઝવેન્દ્ર ચહલ, આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને જગ્યા નથી આપી.

ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલા બીજા વનડેમાં કમેન્ટ્ર દરમિયાન જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે તમે વર્લ્ડ કપમાં ક્યા ચાર સ્પિનરને જોવાનું પસંદ કરશો? તો ગંભીરે જવાબ દેતા કહ્યું કે, હું અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈની સાથે જવા માંગીશ. ચહલ અત્યારે લયમાં નથી. એવી કોઈ કારણ નથી કે જેથી અક્ષર કે કુલદીપ યાદવને ટીમમાંથી બહાર કાઢવામાં આવશે.

આ પણ વાંચો : 

બુમરાહના કર્યા વખાણ
ગૌતમ ગંભીર વર્લ્ડ કપમાં ફાસ્ટ બૉલરના રૂપમાં બુમરાહને જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વિશ્વ કપ જીતવા માટે બુમરાહનું રમવું જરૂરી છે. જો તે રમશે તો સરળ રહેશે. જણાવી દઈએ કે પહેલા બુમરાહનું સિલેક્શન શ્રીલંકા સામે રમવા માટે કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેનું નામ પાછું લઈ લેવામાં આવ્યું હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news