ટી20 વર્લ્ડ કપ, મહિલા વિશ્વકપ પર નિર્ણય આઈસીસીએ આગામી મહિના સુધી ટાળ્યો


આઈસીસીએ ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં આ વર્ષે રમાનાર ટી20 વિશ્વકપ અને આગામી વર્ષે યોજાનાર 2021 મહિલા વર્લ્ડ કપના આયોજન પર નિર્ણય આગામી મહિના સુધી ટાળી દેવામાં આવ્યો છે. 

ટી20 વર્લ્ડ કપ, મહિલા વિશ્વકપ પર નિર્ણય આઈસીસીએ આગામી મહિના સુધી ટાળ્યો

દુબઈઃ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં નિર્ધારિત ટી20 વિશ્વકપ (T20 World cup) પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) કોઈ નિર્ણય લઈ શક્યું નથી. આઈસીસી બોર્ડની બુધવારે ટેલિકોન્ફરન્સ દ્વારા યોજાયેલી બેઠકમાં ટી-20 વિશ્વકપ (T20 World cup) પર નિર્ણય આવતા મહિના સુધી ટાળી દેવામાં આવ્યો છે. એટલે કે વધુ એક મહિનાની રાહ જોવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વકપનું આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે થવાનું છે. 

આઈસીસી બોર્ડે પુરૂષ ટી20 વિશ્વકપ 2020 અને મહિલા વિશ્વકપ 2021ના ભવિષ્ય વિશે હજુ એક મહિનો રાહ જોવાનો નિર્ણય કર્યો છે. આઈસીસી ઘણી આપાત યોજનાઓ પર નજર બનાવી રાખવા ઈચ્છે છે. બોર્ડે કોવિડ-19ની સાથે ઝડપથી બદલાતી જાહેર સ્વાસ્થ્યની સ્થિતિની સમીક્ષા અને મૂલ્યાંકન યથાવત રાખવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેમાં સરકારો સહિત મુખ્ય હિતધારકોની સાથે કામ કરવાનું છે. જેથી તે માહિતી મેળવી શકાય કે બધાના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા કઈ રીતે ટૂર્નામેન્ટનું આયોજન કરી શકાય છે. 

આઈસીસીના મુખ્ય કાર્યકારી મનુ સાહનીએ વીડિયો કોન્ફરન્સથી થયેલી બોર્ડની બેઠક બાદ નિવેદનમા કહ્યુ, અમને તેના પર નિર્ણય લેવાની માત્ર એક તક મળશે અને તે યોગ્ય હોવી જોઈએ. અમે અમારા સભ્યો, પ્રસારકો, ભાગીદારો, સરકારો અને ખેલાડીઓની સલાહ લેવાનું યથાવત રાખશું, જેથી તે નક્કી કરી શકાય કે અમે યોગ્ય નિર્ણય લઈ શકીએ. 

વિરાટ કોહલી અને બાબર આઝમની તુલના પર શોએબ અખ્તરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ડિસેમ્બર સુધી કર છૂટની સમયમર્યાદા વધારી
આઈસીસી બોર્ડે પરંતુ બીસીસીઆઈની સાથે કર છૂટને લઈને ખેચતાણને ઓછામાં ઓછા ડિસેમ્બર સુધી સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેણે ભારતીય બોર્ડ માટે દેશની કેન્દ્ર સરકાર પાસેથી કર છૂટ હાસિલ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. જે આઈસીસી ટૂર્નામેન્ટ જેમ કે વર્લ્ડ ટી20 અને વનડે વિશ્વકપના આયોજન માટે ફરજીયાત છે. 

તેમ આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કોરોના મહામારીને કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓમાં ટી20 વિશ્વકપનું આયોજન ટળવા પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) કરાવવાનો માર્ગ મોકળો બનશે. એટલે કે બીસીસીઆઈ ઓક્ટોબર-નવેમ્બરના વિન્ડોનો ઉપયોગ આઈપીએલ માટે કરશે. હવે આઈપીએલના આયોજનની રણનીતિ નક્કી કરવા માટે વધુ રાહ જોવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news