Surya-Shani Yuti 2023: દુશ્મન ગ્રહો સૂર્ય-શનિની યુતિથી આ 4 રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ સર્જાશે, 30 દિવસ સંભાળજો

Surya Gochar 2023: સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યનું રાશિ પરિવર્તન કેટલાક રાશિવાળા માટે શુભ તો કેટલાક માટે અશુભ સાબિત થાય છે. 13 ફેબ્રુઆરી 2023ના રોજ સૂર્ય મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. 

Surya-Shani Yuti 2023: દુશ્મન ગ્રહો સૂર્ય-શનિની યુતિથી આ 4 રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ સર્જાશે, 30 દિવસ સંભાળજો

Surya Gochar 2023: સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યનું રાશિ પરિવર્તન કેટલાક રાશિવાળા માટે શુભ તો કેટલાક માટે અશુભ સાબિત થાય છે. 13 ફેબ્રુઆરી 2023ના રોજ સૂર્ય મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. અત્રે જણાવવાનું કે કુંભ શનિની સ્વરાશિ છે અને શનિ પહેલેથી જ પોતાની સ્વરાશિમાં બિરાજમાન છે. આવામાં બે દુશ્મન ગ્રહોનું એક સાથે આવવું એ કેટલાક રાશિવાળા માટે મુશ્કેલીઓ પેદા કરી શકે છે. જાણો કોણે સતર્ક રહેવું પડશે. 

કુંભ રાશિ
શનિ 17 જાન્યુઆરીના રોજ કુંભમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન કુંભ રાશિના જાતકો માટે સમસ્યાઓ પેદા થઈ શકે છે. આ રાશિમાં જ યુતિ હોવાના કારણે સૌથી વધુ નકારાત્મક પ્રભાવ કુંભ રાશિના જાતકો પર પડશે. નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તે જાતકો હાલ થોડો સમય આરામ કરે. આ સમય નવા કામ માટે યોગ્ય નથી. તમારા સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખો. દાંપત્ય જીવનમાં તણાવ થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિ
બે દુશ્મન ગ્રહો એક સાથે હોવાથી વૃશ્ચિક રાશિવાળા માટે ભારે રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દરમિયાન માતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો પડશે. આ રાશિના જાતકો પર હાલ શનિની ઢૈયા ચાલુ છે. આવામાં માનસિક પરેશાની હાવી થઈ શકે છે. વેપારમાં નુકસાન થવાની સંભાવના છે. આવામાં સમજી વિચારીને નિર્ણય લેવા જોઈએ. કાર્યસ્થળ પર વરિષ્ઠો સાથે સંબંધમાં ખટાશ આવી શકે છે. આવામાં ધ્યાનથી રહેવાની જરૂર છે. 

સિંહ રાશિ
13 ફેબ્રુઆરીથી થનારું સૂર્ય ગોચર સિંહ રાશિવાળા માટે અશુભ ફળવાળું રહેશે. આ દરમિયાન વૈવાહિક જીવન અને ભાગીદારી પર ખાસ પ્રભાવ જોવા મળશે. અત્રે જમાવવાનું કે બંને ગ્રહોની યુતિનો પ્રભાવ તમારા લગ્ન પર પડવાનો છે. અને આવામાં લગ્ન જીવનમાં તણાવની સ્થિતિ રહેશે. એટલું જ નહીં વ્યક્તિએ આ દરમિયાન સ્વાસ્થ્યનો પણ  ખ્યાલ રાખવો પડશે. જો કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો થોડા સમય સુધી ટાળવામાં જ સમજદારી રહેશે. 

કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કર્ક રાશિવાળા માટે સૂર્ય-શનિની યુતિ મુશ્કેલીઓ પેદા કરી શકે છે. અત્રે જણાવવાનું કે આ બંને ગ્રહોના મળવાથી કર્ક રાશિના જાતકોના ધન પર તેનો પ્રભાવ પડશે. આ દરમિયાન શનિ ઢૈયાનું ફળ આપશે. આ સમયગાળામાં જાતકોને ઈજા થવાના પણ યોગ છે. આવામાં સંભાળીને ગાડી ચલાવવી. વાણીને મધુર રાખવી. જ્યોતિષ મુજબ આ દરમિયાન વેપાર વર્ગ સાથે સંકળાયેલા લોકો પૈસાની લેવડદેવડ કરતી વધતે સાવધાની વર્તે. વાદ વિવાદથી દૂર રહેવું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news