આ જન્માષ્ટમી પર બની રહ્યો છે વિશેષ સંયોગ, આ 3 રાશિના જાતકોને મળશે લાભ

સનાતન પરંપરામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવ (Krishna Janmashtami)નો પર્વ ખુબ ધામધુમથી ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાની અષ્ટમીના રોહિણી નક્ષત્ર તેમજ વૃષભ ચંદ્રમાં થયો હતો. આવી સ્થિતિમાં વિશ્વભરના કૃષ્ણ ભક્તો આ દિવસે કાન્હાના નામે વ્રત રાખે છે. અને જન્મજયંતિની પૂરા ભક્તિભાવથી ઉજવણી કરે છે. આ વખતે આ પવિત્ર તહેવાર રાબેતા મુજબ બે દિવસ લાગી રહ્યો છે. 11 ઓગસ્ટ ઘરના લોકો માટે અને 12 ઓગસ્ટ સંતો માટે શુભ રહેશે. જ્યોતિષીઓ કહે છે કે તુલા, મકર અને મીન રાશિના લોકો માટે આ દિવસે વિશેષ યોગ બનાવવામાં આવી રહ્યા છે.
આ જન્માષ્ટમી પર બની રહ્યો છે વિશેષ સંયોગ, આ 3 રાશિના જાતકોને મળશે લાભ

નવી દિલ્હી: સનાતન પરંપરામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવ (Krishna Janmashtami)નો પર્વ ખુબ ધામધુમથી ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાની અષ્ટમીના રોહિણી નક્ષત્ર તેમજ વૃષભ ચંદ્રમાં થયો હતો. આવી સ્થિતિમાં વિશ્વભરના કૃષ્ણ ભક્તો આ દિવસે કાન્હાના નામે વ્રત રાખે છે. અને જન્મજયંતિની પૂરા ભક્તિભાવથી ઉજવણી કરે છે. આ વખતે આ પવિત્ર તહેવાર રાબેતા મુજબ બે દિવસ લાગી રહ્યો છે. 11 ઓગસ્ટ ઘરના લોકો માટે અને 12 ઓગસ્ટ સંતો માટે શુભ રહેશે. જ્યોતિષીઓ કહે છે કે તુલા, મકર અને મીન રાશિના લોકો માટે આ દિવસે વિશેષ યોગ બનાવવામાં આવી રહ્યા છે.

મેષ- આ રાશિના જાતકોને લાંબા સમયથી રોકાયેલા કાર્ય પૂરા થશે અને પ્રેમ સંબંધોમાં આવી રહેલી અડચણ દૂર થશે. જન્માષ્ટમીના દિવસે ગાયના દૂધથી ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી જાતકોને વિશેષ લાભ મળશે.

વૃષભ- આ રાશિના જાતકોના એશ્વર્યમાં વૃદ્ધી થશે અને ઘરમાં સુખનો વાસ થશે. જન્માષ્ટમીના દિવસે કાચી લસ્સીથી બાળ ગોપાલનો અભિષેક કરવો અને સફેદ માખણનો ભોગ ચઢાવવાથી જાતકોને વિશેષ લાભની પ્રાપ્તિ થશે.

મિથુન-  આ રાશિના જાતકોની લાંબા સમયથી મનમાં ચાલી રહેલી ઇચ્છાઓ પૂર્ણ થશે. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને મિશ્રીનો ભોગ લગાવવો અને શેરડીના રસથી અભિષેક કરવાથી ભગવાન પ્રસન્ન થશે.

કર્ક- આ રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ દુર થશે. સાથે જ તમામ રોગથી મુક્તિ મળશે. જન્માષ્ટમીના દિવસે દુધમાં તુલસી નાખી ભગવાનને ભોગ લગાવવાથી કાન્હા તમામ ઇચ્છાઓ પૂર્ણ કરશે.

સિંહ- આ રાશિના જાતકોના લગ્નમાં આવતી સમસ્યા દૂર થશે. વૈવાહિક જીવનમાં ખુશી આવશે. સિંહ રાશીના જાતકો શ્રીકૃષ્ણના હિંચકાને જરૂરથી ઝુલાવે. 

કન્યા- કન્યા રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન આવશે. કન્યા રાશિના લોકો શ્રીકૃષ્ણને લડ્ડુનો ભોગ અવશ્ય ચઢાવે. શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરો.

તુલા - આ રાશિના જાતકોની ધનની સમસ્યાઓ દૂર થશે. પૈસા અને પૈસાની બધી ચિંતા દૂર થઈ જશે. ભગવાન શ્રીકૃષ્ણને સફેદ માખણ અર્પણ કરો. કાચી લસ્સીથી શ્રીકૃષ્ણનો અભિષેક કરો.

વૃશ્ચિક- તમારા બધા કાર્યો ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. દુશ્મનોના કાવતરાં નિષ્ફળ જશે. વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને ગાયના દૂધથી ભોગ અર્પણ કરવો જોઈએ. પંચામૃતથી અભિષેક કરો.

ધનુ- ધનુ રાશિના લોકોને સ્વજનો તરફથી સારા સમાચાર મળી શકે છે. પરિચિતો સાથેની વાદ-વિવાદ સમાપ્ત થઈ શકે છે. ધનુ રાશિવાળા શ્રીકૃષ્ણને નિશ્ચિતરૂપે બેસનની બર્ફી ચઢાવો. બાળ ગોપાલને હળદરનાં દૂધથી અભિષેક કરો.

મકર- મકર રાશિના લોકો શિક્ષણમાં સારી કામગીરી કરશે. એકાગ્રતા વધશે અને કારકિર્દીમાં પ્રગતિ મળશે. મકર રાશિના જાતકોએ ભગવાન કૃષ્ણને હિંચકા ઝુલાવે અને ગંગાજળથી અભિષેક કરે.

કુંભ- કુંભ રાશિના લોકોના તમામ અવરોધો દૂર થશે. ઘરમાં ખુશીઓ રહેશે. ઘરના સભ્યો ભાગ્યશાળી રહેશે. કુંભ રાશિના જાતકોએ શુદ્ધ દેશી ઘીની મીઠાઇ સાથે દ્વારિકાધીશને ભોગ ચઢાવવો જોઇએ.

મીન- મીન રાશિના લોકોને વ્યવસાયમાં સફળતા મળશે અને મોટી મુશ્કેલીઓ દૂર થશે. મીન રાશિના લોકો બેસનની બર્ફી સાથે શ્રીકૃષ્ણને ભોગ ચઢાવે અને કેસરના દૂધથી અભિષેક કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news