Shaniwar Niyam: શનિવારે ભુલથી પણ ન કરો આ કામ, કર્મફળના દાતા શનિદેવ થઈ જશે નારાજ

Shaniwar Niyam: શનિવારનો દિવસ શનિદેવને પ્રસન્ન કરવાનો પણ શ્રેષ્ઠ દિવસ છે. પરંતુ આ દિવસે જો કેટલીક ભુલ કરવામાં આવે તો શનિદેવ નારાજ પણ થઈ શકે છે. શનિદેવ જો નારાજ થાય તો વ્યક્તિના જીવનમાં ઊથલપાથલ થઈ શકે છે. 

Shaniwar Niyam: શનિવારે ભુલથી પણ ન કરો આ કામ, કર્મફળના દાતા શનિદેવ થઈ જશે નારાજ

Shaniwar Niyam: હિંદુ ધર્મમાં સપ્તાહના 7 દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત ગણવામાં આવ્યા છે. તેવી રીતે શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. શનિદેવ કર્મફળના દાતા છે. તેઓ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિવારનો દિવસ શનિદેવને પ્રસન્ન કરવાનો પણ શ્રેષ્ઠ દિવસ છે. પરંતુ આ દિવસે જો કેટલીક ભુલ કરવામાં આવે તો શનિદેવ નારાજ પણ થઈ શકે છે. શનિદેવ જો નારાજ થાય તો વ્યક્તિના જીવનમાં ઊથલપાથલ થઈ શકે છે. શનિદેવને તેલ અર્પણ કરી શનિવારે તેમની પૂજા કરવી જોઈએ અને સાથે જ એ વાતનું ધ્યાન પણ રાખવું કે શનિવારે કયા કયા કામ ન કરવા.

શનિવારના નિયમ

શાસ્ત્રો અનુસાર શનિવારે કેટલાક કામ કરવા જોઈએ નહીં. શનિવારે જો ભુલથી પણ આ કામ કરવામાં આવે તો તેનાથી શનિદેવ નારાજ થાય છે. આ કામ કરનારને શનિદેવના ક્રોધનો સામનો કરવો પડે છે. તો ચાલો તમને જણાવીએ કે શનિવારે કયા કયા કામ ન કરવા.

શનિવારે ન કરવા આ કામ

- શનિવારના દિવસે માંસ-મદિરાનું સેવન ન કરવું. આમ કરવાથી શનિદેવના ક્રોધનો સામનો કરવો પડે છે. 
- શનિવારે પૂર્વ, દક્ષિણ અને ઈશાન દિશાની યાત્રા કરવાનું ટાળો. આમ કરવાથી સમસ્યાનો સામનો કરવો પડે છે. 
- શનિવારે ભુલથી પણ નબળા કે ગરીબ માણસનું અપમાન ન કરો. કોઈને અપશબ્દો ન કહો. આમ કરવાથી અશુભ ફળ ભોગવવા પડે છે. 
- શનિવારે ક્યારેય વાળ કે નખ કાપવા નહીં. તેનાથી અશુભ પરિણામ ભોગવવું પડે છે. 

- શનિવારે લોઢાની વસ્તુ ખરીદવી જોઈએ નહીં. આ શનિની ધાતુ છે. શનિવારે લોઢું ખરીદવાથી શનિદેવ નારાજ થાય છે. શનિવારે લોઢાનું દાન કરી શકાય છે. 
- શનિવારે સરસવનું તેલ ખરીદવું નહીં. જે વ્યક્તિ આ ભુલ કરે છે તેને જીવનભર સમસ્યાનો સામનો કરવો પડે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news