Shani Gochar: 27 ડિસેમ્બર સુધી ઠાઠ માઠમાં રહેશે 3 રાશિવાળા, શનિની બેવડી ચાલ કરી દેશે માલામાલ

Shani Gochar: વર્ષ 2024 પુરુ થતા પહેલા કર્મફળના દાતા શનિદેવ 2 વાર નક્ષત્ર પરિવર્તન કરશે. આમ તો શનિની બેવડી ચાલ 12 રાશિના જાતકો પર સારી અને ખરાબ બંને પ્રકારની અસર કરશે. પરંતુ 3 રાશિના લોકો માટે શનિની બેવડી ચાલ ડબલ લાભ કરાવનાર સાબિત થશે. આ 3 રાશિના લોકો રાજસી ઠાઠ સાથે જીવન જીવશે.

Shani Gochar: 27 ડિસેમ્બર સુધી ઠાઠ માઠમાં રહેશે 3 રાશિવાળા, શનિની બેવડી ચાલ કરી દેશે માલામાલ

Shani Gochar: નવ ગ્રહોમાં શનિને સૌથી ક્રૂર માનવામાં આવે છે. લોકો માને છે કે શનિનું ગોચર હંમેશા અશુભ ફળ આપે છે. પરંતુ એવું નથી. શનિ જ્યારે કોઈ રાશિ પર મહેરબાન હોય તો તેને રાતોરાત માલામાલ પણ બનાવી શકે છે. આ વાત થોડા જ દિવસોમાં ત્રણ રાશિના લોકોના જીવનમાં સત્ય સાબિત થશે. શનિ જ્યારે નક્ષત્ર પરિવર્તન કરશે ત્યારે રાશિ ચક્રની ત્રણ રાશિના લોકોનું જીવન બદલાઈ જવાનું છે. 

પંચાંગ અનુસાર વર્ષ 2024 પૂરું થશે તે પહેલા શનિદેવ બે વખત નક્ષત્ર પરિવર્તન કરશે. સૌથી પહેલા 3 ઓક્ટોબર 2024 ના રોજ શનિ શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્રમાં 27 ડિસેમ્બર સુધી શનિ રહેશે. ત્યાર પછી 27 ડિસેમ્બર 2024 ની રાત્રે શનિ શતભિષા નક્ષત્રમાંથી નીકળી પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આમ વર્ષ 2024 પૂરું થશે તે પહેલા શનિ બે વખત નક્ષત્ર પરિવર્તન કરશે. શનિની આ બેવડી ચાલ 3 રાશિના લોકોને ધન સંપત્તિથી માલામાલ કરશે. તો ચાલો તમને જણાવીએ રાશિ ચક્રની કઈ ત્રણ રાશિ પર શનિદેવ મહેરબાન થવાના છે. 

શનિ ગોચરનો રાશિઓ પર પ્રભાવ 

મેષ રાશિ 

શનિની બેવડી ચાલ મેષ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે. નોકરી કરતા લોકોના જીવનમાં મોટો ફેરફાર આવશે. સુખ-સમૃદ્ધિ વધશે. જીવનમાં લક્ઝરી વધશે અને સ્વાસ્થ્ય પણ સુધરશે. પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે. જૂની બીમારીથી મુક્તિ મળશે. અટકેલા કામ પૂરા થવા લાગશે. 

ધન રાશિ

ધન રાશિના લોકોને પણ શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલો વિવાદ સમાપ્ત થશે. ઓફિસમાં ચાલતી સમસ્યાઓથી મુક્તિ મળશે. માનસિક તણાવથી મુક્તિ મળશે અને સ્વાસ્થ્ય સુધરશે. ધન વૃદ્ધિના પ્રબળ યોગ. કારકિર્દીમાં મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. જેના કારણે ઊંચું પદ મળી શકે છે. 

કુંભ રાશિ 

કર્મ ફળના દાતા શનિની બેવડી ચાલ કુંભ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. નોકરી કરતા યુવાનોની મહેનત રંગ લાવશે. મોટી કંપનીમાં કામ કરવાની તક મળી શકે છે. જીવનમાં પ્રેમ દસ્તક રહેશે. વેપારીઓના જીવનમાં સ્થિરતા આવશે. બિઝનેસનો વિસ્તાર થશે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news