Astro Tips: કારર્કિદીમાં સફળતા અપાવે છે કાળા ચોખાના આ ટોટકા, જાણી લો તમે પણ અચૂક ઉપાયો

Astro Tips: જ્યોતિષ શાસ્ત્રમાં કાળા ચોખાના કેટલાક એવા ઉપાયો વિશે પણ જણાવવામાં આવ્યું છે જેને કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. કાળા ચોખાના આ ઉપાયોથી દરિદ્રતાથી મુક્તિ મળે છે. સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ ઝડપથી સુધરે છે. તેનાથી દાંપત્યજીવનમાં પણ મધુરતા આવે છે.

Astro Tips: કારર્કિદીમાં સફળતા અપાવે છે કાળા ચોખાના આ ટોટકા, જાણી લો તમે પણ અચૂક ઉપાયો

Astro Tips: તમે સફેદ અને પીળા ચોખાના જ્યોતિષ ઉપાયો વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમને કાળા ચોખાના ઉપાયો વિશે ખબર છે ? આજે તમને કાળા ચોખાના આવા જ કેટલાક ટોટકા વિશે જણાવીએ. કાળા ચોખાનો ઉપયોગ તાંત્રિક ક્રિયાઓમાં કરવામાં આવે છે. પરંતુ તંત્ર શાસ્ત્ર સિવાય જ્યોતિષ શાસ્ત્રમાં પણ કેટલાક ઉપાયો માટે કાળા ચોખાના ઉપાય કરવામાં આવે છે. 

કાળા ચોખાના આ ઉપાયો કરવાથી જીવનની બધી જ સમસ્યા દુર થાય છે. તેનાથી સફળતાના રસ્તા પણ ખુલી જાય છે. માનવામાં આવે છે કે કાળા ચોખાના ઉપાયોથી ધન લાભ થઈ શકે છે અને સાથે જ કારર્કિદી સંબંધિત સમસ્યા પણ દુર થાય છે.

કાળા ચોખા ઉપાયો

1. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા રહે તો એક સફેદ કપડામાં કાળા ચોખા બાંધીને સોમવારે માતા કાલીના ચરણોમાં અર્પણ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને જીવન ખુશીઓથી ભરેલું રહે છે.

2. જો તમને નોકરીમાં કે વેપારમાં સફળતા નથી મળી રહી. અથવા નવી નોકરી મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો શનિવારે શનિ મંદિરમાં જઈ શનિદેવને સરસવના તેલમાં કાળા ચોખા ઉમેરી અર્પણ કરો. આ સાથે શનિ મંત્રનો જાપ કરો. 

આ પણ વાંચો: Budhwar Ke Upay: આકસ્મિક સંકટથી બચાવે છે બુધવારના આ ઉપાય, ગૃહ ક્લેશ થાય છે દુર
 
3. વિવાહિત જીવનમાં સુખ અને સંતાનપ્રાપ્તિની ઈચ્છા હોય તો પીપળાના ઝાડમાં પાણીમાં અર્પણ કરો અને તેમાં કાળા ચોખા ઉમેરો. આ સિવાય શનિવારે તેલના કાળા ચોખા ઉમેરી પીપળાના ઝાડ નીચે દીવો પ્રજ્વલિત કરો. આમ કરવાથી જલ્દી જ સંતાન સુખ પ્રાપ્ત થશે.

4. જો તમારું કોઈ કામ ઘણા દિવસોથી અટકેલું હોય તો તમારા ઘરના મંદિરમાં હનુમાનજીની એવી તસવીર લગાવો જેમાં તે ઉડતા હોય સાથે જ કાળા ચોખાની પોટલી બનાવીને હનુમાનજીની તસવીર પાછળ લગાવો. આમ કરવાથી તમારું કામ કોઈ પણ સમસ્યા વિના પૂર્ણ થશે.

5. જો તમે ઘરમાં કોઈ ઘણા દિવસોથી બીમાર હોય તો પાણીમાં દૂધ અને કાળા ચોખા મિક્સ કરી સોમવારે શિવલિંગ પર ચઢાવો. આમ કરવાથી તમને જલ્દી જ બીમારીથી છુટકારો મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news