અંબાજી મંદિરમાં 280 વર્ષથી સેવા કરતો અમદાવાદનો સોની પરિવાર, પૂનમ બાદ કરે છે મોટું કામ

Bhadaravi Poonam No Melo : આજે આખા અંબાજી મંદિરનો ખૂણેખૂણો સાફ કરાયો, ભાદરવી પૂનમના મેળા બાદ કેમ કરાય છે આ પ્રક્ષાલન વિધિ જાણો

અંબાજી મંદિરમાં 280 વર્ષથી સેવા કરતો અમદાવાદનો સોની પરિવાર, પૂનમ બાદ કરે છે મોટું કામ

Amabji Temple Will Be Close : યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી. આ પ્રક્ષાલન વિધિ દરવર્ષે ભાદરવી પૂનમ પછીની ચોથે કરવામાં આવે છે. ખાસ કરીને આ વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા ચાલી અંબાજી મંદિરે દર્શને આવતા હોય છે, ને ઘણા યાત્રિકો સીધા ચાલીને મંદિરે પહોંચતા હોય છે. તેવામાં મંદિરની સ્વચ્છતા સાથે પવિત્રતા જાળવવા આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે.

મંદિરના ગોખમાં મા અંબેનો શણગાર હોય છે તે સંપૂર્ણ શણગાર સહિત સાતે દિવસની સાત સવારી, માતાજીના સોનાના આભૂષણો સહિતના તમામ દાગીના બહાર કાઢીને ધોવાની પ્રક્રિયા કરવામાં આવે છે. આ વિધિ અમદાવાદના સ્વ.લક્ષ્મણદાસ મોતીલાલ સોની તથા સ્વ. શિવ પ્રસાદ મોતીલાલ સોનીના વંશજો દ્વારા કરવામાં આવે છે. આ સોની પરિવાર વર્ષોથી આ પ્રક્ષાલન વિધિમાં દાગીનાની સાફ સફાઈ કરવા આવતું હોય છે. સાથે દાગીનાના ઘસારા પેટે એક સોનાની પૂતળી માતાજીના હારમાં અર્પણ કરતા હોય છે. જેથી કરીને સાફ સફાઈ દરમિયાન માતાજીના દાગીનામાં કોઈ ઘટ ન પડે.

જોકે આ સમગ્ર વિધિ સોની પરિવાર દ્વારા લગભગ 280 વર્ષથી કરતા આવ્યા છે. આ સાફ સફાઈના બદલમાં સોની પરિવારને રજવાડાના સમયથી ચાંદીનો એક સિક્કો આપવામાં આવતો હતો. હવે મહેનતાણાના 51 રૂપિયા આપવામાં આવે છે. આજે પણ આ પરંપરા યથાવત છે. આજે યોજાયેલી પક્ષાલન વિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ ભાઈ સહિત અનેક ધારાસભ્યો અને અધિકારીઓ જોડાયા હતા. 

શું છે પ્રક્ષાલન વિધિ 
અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવીધી વર્ષ માં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. ભાદરવી પૂનમ (bhadaravi Poonam) દરમિયાન હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી મંદિરમાં આવતા હોય છે. જેમાં ઘણા યાત્રિકો રસ્તામાં શૌચક્રિયાઓ વગેરે કર્યા બાદ સીધા મંદિરે દર્શન માટે પહોંચી જતા હોય છે. તેવામાં મંદિરની પવિત્રતા જળવાતી નથી. જેને લઈ ભાદરવી પૂનમના ચોથા દિવસે મંદિર ગોખ સહિત સમગ્ર મંદિર પરિસરને નદીના પાણીથી ધોઇ સાફ સફાઈ કરવામાં આવે છે. સાથે માતાજીના વિવિધ શણગારના અલંકારો, સવારીને પૂજનની તમામ સામગ્રીની સફાઈ કરવામાં આવે છે, જેને પ્રક્ષાલન વિધિ કહેવાય છે. આ વર્ષે આ પ્રક્ષાલન વિધિ માટે આજે 1 ઓક્ટોબર, રવિવારના રોજ માતાજીને રાજભોગ ધરાયા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. પ્રક્ષાલન વિધિ પત્યા બાદ નૈવેદ્ય ચઢાવી ફરી મંદિર શરૂ કરવામાં આવશે. 

માતાજીના શણગારના તમામ દાગીનાની સફાઈ કરવામાં આવે છે
વર્ષ દરમ્યાન આજે પ્રક્ષાલનમાં એક જ વખત બહાર લાવવામાં આવતા માતાજીના શણગારના તમામ દાગીનાની સફાઈ કરવામાં આવે છે. એટલું જ નહીં આ દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારાનાં બદલે પાંચ ગ્રામ સોનાનું તક્તુ માતાજીના હાર માં અર્પણ કરવામાં આવે છે. જે હાર પુતળીનો હારનાં નામે માતાજીને પહેરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, જે હમણા સુધી માતાજીના હારમાં આજ સુધી ની 186 તક્તાનો હાર માતાજી પાસે છે કે, ભાદરવી પુનમનાં મેળાં દરમીયાન લાખ્ખો પદયાત્રીઓ આવતાં હોય છેને આ યાત્રીકોની રસ્તામાં કોઇ પવિત્રતાં ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી આ મંદિર ની પવીત્રતાં જાળવવાં ખાસ પ્રક્ષાલન વીધી કરવામાં આવે છે. 

7 નદીના જળથી મંદિર ધોવાય છે
આ વિધિ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સિદ્ધપુરના માણસ ગૌત્રના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. મા અંબાના ગર્ભગૃહ સહિત સોના-ચાંદીના આભૂષણોને ગંગાજળ અને સરસ્વતીના નીર સહીત અનેક નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવે છે. પ્રક્ષાલન વિધિ માટે સાત નદીઓના જળ લાવવામાં આવે છે. ત્યાર બાદ શુભ મુર્હુતમાં તેને માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરાય છે.

પ્રક્ષાલન વિધી કરવાથી પુણ્ય મળે છે
પ્રક્ષાલન વિધિમાં ભાગ લેવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજીમાં આવી પહોંચતા અનેરો ભક્તિમય માહોલ સર્જાતો હોય છે. કહેવાય છે કે, પ્રક્ષાલન વિધિ કરવાથી અનેકગણુ પુણ્ય મળે છે. તેથી જ આ વિધિમાં ભાગ લેવા અને યાત્રાધામને પવિત્ર કરવાનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news