Shani Amavasya: 14 ઓક્ટોબરે શનિ અમાવસ્યા, આ નાનકડો ઉપાય કરવાથી શનિ દોષથી મળશે મુક્તિ

Shani Amavasya Upay: શનિશ્ચરી અમાસના દિવસે ભગવાન શનિદેવની આરાધના કરવાથી વ્યક્તિને જીવનના દુ:ખમાંથી મુક્તિ મળે છે અને સુખ, સમૃદ્ધિ વધે છે. સર્વપિત્રી અમાસ પર કરવામાં આવેલા કેટલાક ઉપાયો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે પણ શનિદેવની કૃપા મેળવવા માંગતા હોય તો શનિશ્ચરી અમાસની તિથિ પર શનિ સ્તોત્રનો પાઠ કરો. 

Shani Amavasya: 14 ઓક્ટોબરે શનિ અમાવસ્યા, આ નાનકડો ઉપાય કરવાથી શનિ દોષથી મળશે મુક્તિ

Shani Amavasya Upay: પિતૃ પક્ષની અમાસ સર્વપિત્રી અમાસ તરીકે ઓળખાય છે. આ વર્ષે 14 ઓક્ટોબર પિતૃ પક્ષનું અંતિમ શ્રાદ્ધ છે અને આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ, તર્પણ અને પિંડ દાન વગેરે કરવામાં આવે છે. આ વખતે સર્વપિત્રી અમાસ શનિવાર હોવાથી તેનું મહત્વ વધી જાય છે. શનિવારે આવતી અમાસને શનિશ્ચરી અમાસ પણ કહેવામાં આવે છે.  શનિશ્ચરી અમાસ ન્યાયના દેવતા શનિને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા-અર્ચના કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના દુઃખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે.

શનિશ્ચરી અમાસના દિવસે ભગવાન શનિદેવની આરાધના કરવાથી વ્યક્તિને જીવનના દુ:ખમાંથી મુક્તિ મળે છે અને સુખ, સમૃદ્ધિ વધે છે. સર્વપિત્રી અમાસ પર કરવામાં આવેલા કેટલાક ઉપાયો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે પણ શનિદેવની કૃપા મેળવવા માંગતા હોય તો શનિશ્ચરી અમાસની તિથિ પર શનિ સ્તોત્રનો પાઠ કરો. આ ઉપરાંત શનિ મંત્રનો જાપ કરવાથી પણ વિશેષ ફળ મળે છે.

આ પણ વાંચો:

શનિ સ્તોત્ર

નમ: કૃષ્ણાય નીલાય શિતિકણ્ઠનિભાય ચ।
નમ: કાલાગ્નિરૂપાય કૃતાન્તાય ચ વૈ નમ: ।। 
નમો નિર્માંસ દેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ ।
નમો વિશાલનેત્રાય શુષ્કોદર ભયાકૃતે।। 
નમ: પુષ્કલગાત્રાય સ્થૂલરોમ્ણેઽથ વૈ નમ:।
નમો દીર્ઘાય શુષ્કાય કાલદંષ્ટ્ર નમોઽસ્તુ તે।। 
નમસ્તે કોટરાક્ષાય દુર્નરીક્ષ્યાય વૈ નમ: ।
નમો ઘોરાય રૌદ્રાય ભીષણાય કપાલિને।। 
નમસ્તે સર્વભક્ષાય બલીમુખ નમોઽસ્તુ તે।
સૂર્યપુત્ર નમસ્તેઽસ્તુ ભાસ્કરેઽભયદાય ચ ।। 
અધોદૃષ્ટે: નમસ્તેઽસ્તુ સંવર્તક નમોઽસ્તુ તે।
નમો મન્દગતે તુભ્યં નિસ્ત્રિંશાય નમોઽસ્તુતે ।। 
તપસા દગ્ધ-દેહાય નિત્યં યોગરતાય ચ ।
નમો નિત્યં ક્ષુધાર્તાય અતૃપ્તાય ચ વૈ નમ: ।। 
જ્ઞાનચક્ષુર્નમસ્તેઽસ્તુ કશ્યપાત્મજ-સૂનવે ।
તુષ્ટો દદાસિ વૈ રાજ્યં રુષ્ટો હરસિ તત્ક્ષણાત્ ।। 
દેવાસુરમનુષ્યાશ્ચ સિદ્ધ-વિદ્યાધરોરગા:।
ત્વયા વિલોકિતા: સર્વે નાશં યાન્તિ સમૂલત:।। 
પ્રસાદ કુરુ મે સૌરે ! વારદો ભવ ભાસ્કરે।
એવં સ્તુતસ્તદા સૌરિર્ગ્રહરાજો મહાબલ: ।। 

આ પણ વાંચો:

શનિ મંત્ર

નીલમ્બર: શૂલધર: કિરીટી ગૃધ્રસ્થિત સ્ન્તસ્કરો ધનુષ્ટમાન્
ચતુર્ભુજ: સૂર્ય સુત: પ્રશાન્ત: સદાસ્તુ મહ્યાં વરદોલ્પગામી

શનિ મહામંત્ર

ॐ નિલાન્જન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ
છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ

શનિ ગાયત્રી મંત્ર

ॐ ભગભવાય વિદ્મહૈ મૃત્યુરુપાય ધીમહિ તન્નો શનિ: પ્રચોદ્યાત્

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news