Kitchen Tips: ફ્રિજમાં રાખ્યો હોવાછતાં પણ લોટ થઇ જાય છે કાળો, અપનાવો આ ટિપ્સ

5 Tips To Keep Atta Dough Fresh For Long: રોટલીએ સમગ્ર ભારતમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો ખોરાક છે. જો ગોળ, નરમ અને ગરમ રોટલી સામે પીરસવામાં આવે તો ભૂખ ન લાગે તો પણ તેની સુગંધથી ભૂખ વધે છે. રોટલીને શાકભાજી, કઢી અને દાળ સાથે ખાઈ શકાય છે.

Kitchen Tips: ફ્રિજમાં રાખ્યો હોવાછતાં પણ લોટ થઇ જાય છે કાળો, અપનાવો આ ટિપ્સ

5 tips to keep dough fresh in fridge: રોટલી તે પોષક આહારથી ભરપૂર હોય છે. કારણ કે તેને રોજિંદા આહારમાં સામેલ કરવામાં આવે છે. સુકા ઘઉંના લોટને પાણીની મદદથી ભેળવીને પોચી અને મુલાયમ ચપાતી મેળવવામાં આવે છે. ત્યારબાદ ફુલકાત તૈયાર કરવામાં આવે છે. લોટને સાચવવામાં તો આવે છે પણ તેને લાંબા સમય સુધી તાજો કેવી રીતે રાખવો તે એક સમસ્યા છે. 

મોટાભાગના લોકોને વધારાનો કણક ભેળવીને ફ્રીજમાં રાખવાની ટેવ હોય છે. જેથી ભૂખ લાગે ત્યારે તેઓ ઝડપથી રોટલી બનાવી શકે. પરંતુ આ લોટને કાળો ન થાય અને તેને લાંબા સમય સુધી તાજો રાખવો મુશ્કેલ કામ બની જાય છે. લોટ કાળો થતા જ તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ લેખ તમારા માટે ઘણો ઉપયોગી સાબિત થવાનો છે. કારણ કે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે લોટને લાંબા સમય સુધી તાજો રાખી શકો છો.

ઘઉંને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે કરો આ ઉપાય 
1. ક્લિંગ- ફિલ્મ અથવા એલ્યુમિનિયમ ફોઈલ- કણકનો ઉપયોગ કર્યા પછી તેને કન્ટેનર માં મૂકતા પહેલા અને રેફ્રિજરેટ કરતા પહેલા તેને એલ્યુમિનિયમ ફોઇલ અથવા ક્લિયર ક્લિંગ ફિલ્મથી ઢાંકી દો. કણકને સંપૂર્ણપણે ઢાંકતી વખતે, ખાતરી કરો કે અંદર કોઈ હવાના પરપોટા ન રહે.

2. એર ટાઈટ કન્ટેનર: લોટને ફ્રીજમાં રાખતા પહેલા તેને ઝિપ લોક બેગ અથવા એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો, તેનાથી તેની શેલ્ફ લાઈફ વધી શકે છે અને તે ઝડપથી બગડશે નહીં.

3. પાણીનો ઉપયોગઃ લોટ ભેળતી વખતે તેમાં વધારે પાણી ન નાખો. નહીં તો તે ઝડપથી બગડી શકે છે. ઓછી માત્રામાં પાણી ઉમેરો અને કણકની નરમાઈની ખાતરી કરો. તેમજ ફ્રીજમાં રાખતી વખતે વાસણમાં થોડું પાણી નાખો.

4. કણકની સપાટી પર તેલ/ઘી લગાવો: જો રોટલી બનાવ્યા પછી કણક બાકી રહી જાય, તો તેને હવાચુસ્ત પાત્રમાં મૂકો અને ફ્રીજમાં રાખતા પહેલા તેની ઉપરની સપાટીને તેલ અથવા ઘીથી ગ્રીસ કરો. આ યુક્તિ લોટને કાળા થવાથી અને સુકાઈ જવાથી બચાવશે. કણકને લાંબા સમય સુધી ખુલ્લા કે રેફ્રિજરેટરની બહાર ન રાખો, ખાસ કરીને ઉનાળા દરમિયાન. આ કારણે તેમાં બેક્ટેરિયા વધી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news