સાતમા નોરતે મા કાળરાત્રિની પૂજા, આ પ્રસાદી ધરાવવાથી દૂર થાય છે ઘરના બધા દુખ

તેમનો રંગ કાળ હોવાને કારણે જ તેમને કાળરાત્રિ કહેવામાં આવે છે અને અસુરોના રાજા રક્તબીજનું વધ કરવા માટે દેવી દુર્ગાએ તેમને બનાવ્યા હતા. તેમની પૂજા શુભ ફળદાયી હોવાને કારણે તેમને શુભંકારી પણ કહેવાય છે.

સાતમા નોરતે મા કાળરાત્રિની પૂજા, આ પ્રસાદી ધરાવવાથી દૂર થાય છે ઘરના બધા દુખ

નવી દિલ્હી : દુર્ગા પૂજામાં મા કાળરાત્રિની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. મહા સપ્તમીના દિવસે માના સાતમા રૂપની આરાધના કરવામાં આવે છે. મા દુર્ગાએ અસુરોનું વધ કરવા માટે પોતાના તેજથી દેવી કાળરાત્રિની ઉત્તપત્તિ કરી હતી. તેમનો રંગ કાળ હોવાને કારણે જ તેમને કાળરાત્રિ કહેવામાં આવે છે અને અસુરોના રાજા રક્તબીજનું વધ કરવા માટે દેવી દુર્ગાએ તેમને બનાવ્યા હતા. તેમની પૂજા શુભ ફળદાયી હોવાને કારણે તેમને શુભંકારી પણ કહેવાય છે. માન્યતા છે કે, માતા કાળરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધીઓ પ્રાપ્ત કરી લે છે. માની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થાય છે.

દુર્ગા મા બની કાળરાત્રિ
દેવી કાળરાત્રિનું શરીર રાતના અંધકારની જેમ કાળું છે. તેમના વાળ વિખરાયેલા હોય છે અને તેમના ગળામાં વિદ્યુતની માળા છે. તેમના ચાર હાથ છે જેમાં તેમણે એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કર્યો છે. આ ઉપરાંત તેમના બે હાથ વરમુદ્રા અને અભય મુદ્રામાં છે. તેમને ત્રીજું નેત્ર છે, તથા તેમના શ્વાસથી અગ્નિ નીકળે છે. કાળરાત્રિનું વાહન ગધેડો છે. 

મા કાળરાત્રિની ઉત્ત્પત્તિની કથા
કથાના અનુસાર, દૈત્ય શુંભ-નિશુંભ અને રક્તબીજના ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી રાખ્યો હતો. તેનાથી ચિંતિત થઈને તમામ દેવતાગણ શિવજીની પાસે ગયા. શિવજીએ દેવી પાર્વતીને રાક્ષસોનું વધ કરીને પોતાના ભક્તોની રક્ષા કરવાનું કહ્યું. શિવજીની વાત માનીને પાર્વતીજીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ-નિશુંભનું વધ કર્યું. પરંતુ જેમ દુર્ગાજીએ રક્તબીજને માર્યો, તો તેના શરીરમાંથી નીકળેલ રકાથી લાખો રક્તબીજ ઉત્પન્ન થઈ ગયા. તે જોઈએ માતા દુર્ગાએ તરત પોતાના તેજથી કાળરાત્રિને ઉત્પન્ન કરી. તેના બાદ જ્યારે મા દુર્ગાએ રક્તબીજને માર્યો તો તેના શરીરમાંથી નીકળનારા રક્તને કાળરાત્રિએ પોતાના મુખમાં ભરી લીધું અને બધાનું ગળું કાપતા રક્તબીજનો વધ કર્યો. 

શુભકામના ઓ પૂરી કરશે આ મંત્ર
સપ્તમી તિથિના દિવસે ભગવતીની પૂજામાં ગોળનો નૈવેદ્ય અર્પિત કરીને બ્રાહ્મણને આપી દેવો જોઈએ. આવું કરવાથી પુરુષ શોકમુક્ત થઈ શકે છે. નવરાત્રિના સાતમા દિવસે મા કાળરાત્રિની ઉપાસના આ મંત્રથી કરવી જોઈએ. 
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी। वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news