7 વર્ષની સરકારમાં કોઈ PM મોદી પર 7 પૈસાના કૌભાંડનો આરોપ લગાવી શકે નહીંઃ અનુરાગ ઠાકુર

Uttarakhand Assembly Election 2020: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી કુમાઉંથી વિજય સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવા બાગેશ્વર જિલ્લાના નુમાઇસખેત મેદાન પહોંચ્યા હતા. 
 

7 વર્ષની સરકારમાં કોઈ PM મોદી પર 7 પૈસાના કૌભાંડનો આરોપ લગાવી શકે નહીંઃ અનુરાગ ઠાકુર

દેહરાદૂનઃ Uttarakhand Assembly Election 2022: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) ની સાથે બાગેશ્વરમાં વિજય સંકલ્પ યાત્રા (Vijay Sankal Yatra) ની શરૂઆત કરી છે. આ દરમિયાન એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસે 2G, 3G સહિત અનેક કૌભાંડો કર્યા હતા. અમે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં પોતાની સરકારના 7 વર્ષ પૂરા કરી લીધા છે, પરંતુ રાહુલ ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી કોઈપણ પીએમ મોદી પર 7 પૈસાના કૌભાંડનો આરોપ પણ ન લગાવી શકે. 

અનુરાગ ઠાકુરે કહ્યુ કે, અમે ભ્રષ્ટાચાર મુક્ત, વિકાસોન્મુખી સરકાર આપી છે. તેમણે કહ્યું કે, અટલજી એ એક સાથે ઝારખંડ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ રાજ્ય બનાવવાનું કામ કર્યુ, કોઈ જગ્યાએ મારપીટ થઈ નહીં. શાંતિથી બિલ પાસ થયા હતા. જ્યારે કોંગ્રેસની સરકાર હતી, તેણે તેલંગણા રાજ્ય બનાવવાનું હતું. જેનો તેના જ સાંસદ સંસદમાં વિરોધ કરતા હતા અને કોંગ્રેસ તેને સંસદમાંથી બહાર કરી દેતી હતી.

— ANI (@ANI) December 19, 2021

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી કુમાઉંથી વિજય સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવા માટે બાગેશ્વર જિલ્લાના નુમાઇસખેત મેદાન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનું છોલિયા નૃત્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓએ ફૂલોનો વરસાદ કરી સ્વાગત કર્યુ હતું. કુમાઉંમાં ભાજપની વિજય સંકપ્લ યાત્રા બાગેશ્વરથી શરૂ થઈ છે. આ યાત્રા કુમાઉંના તમામ જિલ્લામાં જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news