કર્ણાટકમાં વધુ એક વિવાદ! પૂજા ઉત્સવ મેળામાં અન્ય સંપ્રદાયને નહીં મળે દુકાન, મંદિર મેનેજમેન્ટનો નિર્ણય

ર્ણાટકના ઉડુપી જિલ્લાથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જિલ્લાના મારી ગુડી મંદિર મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે આ વખતે આયોજિત થનારી સુગ્ગી મારી પૂજા ઉત્સવમાં તેઓ કોઈ અન્ય સંપ્રદાયના કોઈ પણ વ્યક્તિને દુકાન લગાવવા માટે મંજૂરી આપશે નહીં.

કર્ણાટકમાં વધુ એક વિવાદ! પૂજા ઉત્સવ મેળામાં અન્ય સંપ્રદાયને નહીં મળે દુકાન, મંદિર મેનેજમેન્ટનો નિર્ણય

જયપાલ શર્મા/ઉડુપી: કર્ણાટકના ઉડુપી જિલ્લાથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જિલ્લાના મારી ગુડી મંદિર મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે આ વખતે આયોજિત થનારી સુગ્ગી મારી પૂજા ઉત્સવમાં તેઓ કોઈ અન્ય સંપ્રદાયના કોઈ પણ વ્યક્તિને દુકાન લગાવવા માટે મંજૂરી આપશે નહીં. આ નિર્ણય કેટલાક હિન્દુ સંગઠનોની ભલામણ પર લેવાયો છે. 

મેળામાં મુસ્લિમ વેપારીઓને મંજૂરી નહીં
દર વર્ષે આયોજિત થનારા આ પૂજા મેળામાં પહેલા દુકાન દરેક સંપ્રદાયના લોકોને ફાળવવામાં આવતી હતી પરંતુ આ વખતે હિન્દુ જાગરણ વેદિકે અને તુલુણુડુ હિન્દુ સેના, કાપૂની અપીલ પર નક્કી કરાયું છે કે મંદિર મેનેજમેન્ટ બે દિવસ (મંગળવાર-બુધવાર)ના આ મેલામાં મુસ્લિમ વેપારીઓને દુકાન લગાવવાની મંજૂરી નહીં મળે. 

આ કારણે લેવાયો આવો નિર્ણય
આ વ્યવસ્થા પાછળ જે કારણ બતાવવામાં આવી રહ્યું છે તે કઈક એવું છે કે હિજાબ મામલે કોર્ટના નિર્ણય વિરુદ્ધ મુસ્લિમ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી જે દર્શાવે છે કે મુસ્લિમ સમાજના લોકો આ દેશના કાયદાને માનતા નથી કે ન તો આ દેશની ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવે છે. 

મંદિર મેનેજમેન્ટે સ્વીકારી હિન્દુ સંગઠનોની અપીલ
હિન્દુ સંગઠનો દ્વારા કરાયેલી અપીલને મંદિર મેનેજમેન્ટે સ્વીકારી લીધી અને આ વખતના મેળામાં કોઈ પણ દુકાન હિન્દુ સિવાય અન્ય કોઈ પણ સંપ્રદાયના લોકોને ફાળવવામાં આવી નથી. આ પ્રકારે મુસ્લિમ વેપારીઓના બહિષ્કારની ખબરો કર્ણાટકના અન્ય કેટલાક જિલ્લાઓમાંથી પણ આવી રહી છે. 

હિજાબ મામલે જોવા મળી અસર
અત્રે જણાવવાનું કે હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ચુકાદો અપાયા બાદ કર્ણાટક અમીર એ શરીયત દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને અપીલ કરાઈ હતી કે તેઓ હાઈકોર્ટના ચુકાદા પ્રત્યે નારાજગી વ્યક્ત કરવા માટે એક દિવસ માટે પોતાની દુકાનો બંધ રાખે. અમીર દ્વારા કરાયેલા આ આહ્વાનની વ્યાપક અસર જોવા મળી હતી. 

કર્ણાટક હાઈકોર્ટના 3 જજને ખુલ્લા મંચથી અપાઈ  ધમકી
17 માર્ચના રોજ સમગ્ર કર્ણાટકમાં મુસ્લિમ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી અને કોર્ટ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આ સિવાય તમિલનાડુના મદુરાઈમાં ખુલ્લા મંચથી કર્ણાટક હાઈકોર્ટના 3 જજોને ધમકી પણ આપવામાં આવી હતી. જજને ધમકીના મામલે રહમતુલ્લાહ નામના વ્યક્તિની ધરપકડ પણ કરાઈ અને મંગળવારે રાતે કર્ણાટક પોલીસ તેને તમિલનાડુથી કર્ણાટક લઈને આવી ચૂકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news